Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

કોંગ્રેસે શેર કર્યું 'મોદી ગાયબ'નું પોસ્ટર

April 29, 2025

કોંગ્રેસે પહલગામ હુમલા અંગે એક તસવીર શેર કરી છે જેનાથી રાજકીય હોબાળો મચી ગયો છે. પાર્ટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટરમાં લખ્યું છે, 'જવાબદારીના સમયે- Gayab'. આ પોસ્ટ પર બીજેપીએ જવાબ આપ્યો હતો કે, 'કોંગ્રેસ સીધા પાકિસ્તાન પાસેથી આદેશ લઈ રહી છે. કોંગ્રેસ પાકિસ્તાન ડીપસ્ટેટની આતંકની ટૂલકીટ બની ગઈ છે.'

આ મામલે ભાજપના સાંસદે અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'કોંગ્રેસ અને તેના નેતાઓની એવી શું મજબૂરી છે કે પાકિસ્તાનના પક્ષમાં બોલવું જરૂરી છે? તેઓ પાકિસ્તાનને કેમ ટેકો આપી રહ્યા છે? શું તેઓ ભારતીયોને લોહી વહેતા જોઈને ગુસ્સે નથી થતા?'

ભાજપના સાંસદે આ અંગે વધુમાં કહ્યું કે, 'તેમના નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સૈફુદ્દીન સોઝે અમને કહ્યું હતું કે પાકિસ્તાનનું સાંભળો અને પાકિસ્તાનને પાણી પૂરું પાડવાનું બંધ ન કરો. કોંગ્રેસ કોની સાથે ઉભી છે? ભારતની કે પાકિસ્તાનની? જ્યારે ભારત પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, ત્યારે કોંગ્રેસ પ્રશ્નો ઉભા કરે છે. હવે કોંગ્રેસનો પાકિસ્તાન તરફી ચહેરો ખુલ્લો પડી ગયો છે.

આ ઉપરાંત ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, 'કોંગ્રેસે જે રીતે 'સર તન સે જુદા' ની તસવીરનો ઉપયોગ કર્યો છે, તેમાં હવે કોઈ શંકા નથી કે આ માત્ર રાજકીય નિવેદન નથી. આ મુસ્લિમ વોટ બેન્ક મેળવવાનો પ્રયત્ન છે. આ વડા પ્રધાન સામે છુપી ઉશ્કેરણી છે. આ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસે આવી રણનીતિ અપનાવી હોય.'

કોંગ્રેસની જવાબદારીના સમયે- Gayab વાળી પોસ્ટ પર અરુણાચલ પ્રદેશના સાંસદ અને સંસદીય બાબતોના મંત્રી અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, 'જ્યારે આપણા વડા પ્રધાન આતંકવાદ સામેની લડાઈનું મજબૂત નેતૃત્વ કરી રહ્યા છે, તો પછી કોંગ્રેસ પોતાના દેશના વડા પ્રધાન વિશે આટલી નીચી વિચારસરણી કેમ ધરાવે છે? કોંગ્રેસ કેટલી નીચે જશે?'