હું ખોટો હોઉં તો CCTV ફૂટેજ જાહેર કરો: ચૂંટણીમાં 'મેચ ફિક્સિંગ' મુદ્દે રાહુલનો પડકાર
June 08, 2025
અખબારોમાં લેખ લખીને શા માટે જવાબ માંગી રહ્યા છો? - ECI સૂત્રો
બેંગલુરૂ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિના આરોપોને ચૂંટણી પંચના સૂત્રો દ્વારા નકારવામાં આવ્યા બાદ આજે તેના પર પલટવાર કર્યો છે. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે, 'છુપાવવાથી તેની વિશ્વસનીયતા સુરક્ષિત નહીં રહે, પરંતુ સત્ય બોલવાથી બચશે.'
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક અખબારમાં લેખ લખીને આરોપ લગાવ્યો કે, '2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લોકશાહીમાં ધાંધલીનો બ્લુપ્રિન્ટ હતી. તેમણે દાવો કર્યો કે આ 'મેચ ફિક્સિંગ' હવે બિહારમાં પણ થશે અને પછી તે જગ્યાઓ પર પણ આવું જ કરવામાં આવશે, જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP) હારી રહી હશે.'
ચૂંટણી પંચના સૂત્રોએ આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા કર્યું કે, 'આયોગને સીધો પત્ર લખવાને બદલે કોંગ્રેસ નેતા અખબારોમાં લેખો દ્વારા જવાબ શા માટે માંગી રહ્યા છે?'
ECI ના એક પદાધિકારીએ કહ્યું, 'આ ખૂબ જ વિચિત્ર વાત છે કે ગયા વર્ષે 24 ડિસેમ્બરે આયોગ દ્વારા કોંગ્રેસને લખવામાં આવેલા વિસ્તૃત પત્ર છતાં રાહુલ ગાંધી વારંવાર પોતાની નિરાધાર શંકાઓના જવાબ માંગવા માટે મીડિયા સાથે વાત કરી રહ્યા છે અને લખી રહ્યા છે.'
તેમણે એ પણ જણાવ્યું કે, ચૂંટણી પંચે છ રાષ્ટ્રીય પાર્ટીઓ સાથે વાતચીત માટે તેમને અલગ-અલગ આમંત્રિત કર્યા હતા અને કોંગ્રેસ સિવાયની બાકી બધી પાર્ટીઓએ ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરી. કોંગ્રેસે ચૂંટણી પંચ દ્વારા 15 મેના રોજ પ્રસ્તાવિત બેઠક રદ કરી દીધી હતી.
અધિકારીએ વધુમાં કહ્યું કે, 'આ સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધી પોતે ચૂંટણી પંચને પત્ર લખીને જવાબ મેળવવાથી શા માટે કતરાઈ રહ્યા છે. તેમજ રાહુલ ગાંધીએ સૂત્રોના આધારે તેમના પ્રશ્નોના જવાબ આપવા માટે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે.'
Related Articles
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધ...
Sep 06, 2026
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ...
Sep 06, 2026
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ મુખ્યમંત્રી વચ્ચે વધ્યું ટેન્શન! ભાજપ માટે ચિંતાનો વિષય
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ...
Sep 06, 2026
Trending NEWS
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
03 September, 2026