મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત

September 06, 2026

સાગર : મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં લઠ્ઠાકાંડના કારણે ચાર અલગ-અલગ ગામોના 9 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવી ગયું છે.

મળતી માહિતી મુજબ, સાગર જિલ્લાના ઘૂઘર, નૌરાજ, બરાજ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકોએ શનિવારે રાત્રે દારૂનું સેવન કર્યું હતું. દારૂ પીધાના થોડા સમય બાદ જ લોકોની તબિયત અચાનક લથડવા લાગી હતી. પરિજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. ભાવનગર લઠ્ઠાકાંડની વચ્ચે દેશમાં વધુ એક મોટો લઠ્ઠાકાંડ સર્જાયો છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી અને ગેરકાયદેસર દારૂ પીવાથી બાર લોકોના મોત થયા હતા. રવિવારે સવારે તમામને બાંદા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃત્યુનું પ્રાથમિક કારણ ઝેરી દારૂ પીવાને માનવામાં આવી રહ્યું છે. નૌરાજ, બરાજ અને આસપાસના વિસ્તારોના લોકોએ શનિવારે રાત્રે દારૂ પીધો હતો. આ પછી તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. તેમના પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. મૃત્યુઆંક વધવાની આશંકા છે. કલેક્ટરે જનતાને અપીલ કરી કે જો તેઓએ છેલ્લા 24 થી 48 કલાકમાં કોઈપણ પ્રકારનો દારૂ પીધો હોય અથવા દારૂના ઝેરના લક્ષણો અનુભવતા હોય, તો તેઓએ તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે લોકો સ્થાનિક ડોક્ટરોની ટીમનો સંપર્ક કરી શકે છે અથવા પરીક્ષણ માટે સીધા સિવિલ હોસ્પિટલમાં જઈ શકે છે. કલેક્ટર પ્રતિભા પાલે જણાવ્યું હતું કે ડોકટરોની એક ટીમ તમામ કેસોનું સતત નિરીક્ષણ કરી રહી છે. તબીબી અને વહીવટી કાર્યવાહી ચાલુ છે. મૃતકો ચાર ગામોના હોવાનું માનવામાં આવે છે. વહીવટીતંત્ર આ મામલાની તપાસ કરી રહ્યું છે અને દારૂના સેવનને કારણે મૃત્યુનું કારણ નક્કી કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અસરગ્રસ્તોની સારવાર અને મૂલ્યાંકન માટે સિવિલ હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ડોકટરો અને એસડીએમની ટીમો ઘટનાથી પ્રભાવિત મુખ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને તપાસ કરી રહી છે.