'જમ્મુ-કાશ્મીર ન જશો, સુરક્ષાને જોખમ છે...' વિવાદ વચ્ચે કેનેડાએ નાગરિકો માટે જાહેર કરી 'એડવાઈઝરી'
September 20, 2023

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકોએ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા કહ્યું છે. કેનેડાએ તેની પાછળનું કારણ સુરક્ષાને ગણાવ્યું છે. ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવતાની સાથે જ અપડેટેડ એડવાઈઝરીમાં કેનેડા તરફથી જણાવાયું છે કે અમારા દેશના નાગરિકોને સુચિત કરવામાં આવે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લે. કેમ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું છે. કેનેડાએ આ એડવાઈઝરી એવા સમયે જારી કરી હતી જ્યારે વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ નિજ્જરની હત્યા મામલે ભારતના એજન્ટોની ભૂમિકા હોવાની વાત કહી છે. સાથે જ ભારતીય રાજદ્વારીને દેશમાંથી બરતરફ કરી દીધા છે. કેનેડાની એ ઉશ્કેરણીનો ભારતે પણ સજ્જડ જવાબ આપ્યો છે અને આરોપોને વાહિયાત ગણાવ્યાં છે. સાથે જ કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને પણ બરતરફ કરી દીધા છે.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025