Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

ઈરાન પર હુમલાની શક્યતા ઘટતા સોના-ચાંદીમાં કડાકો: રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો પર

January 15, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થવાના સંકેતોને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભયે સલામત રોકાણ ગણાતી આ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ શાંત થતી દેખાતા  સોના-ચાંદીન ભાવમાં કડાકો બોલાયો છે.

સોનું: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ જે 4635 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યો હતો, તે હવે ઘટીને 4609 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયો છે.

ચાંદી: એ જ રીતે, ચાંદીનો ભાવ પણ 92 ડોલર પ્રતિ ઔંસથી ઘટીને 88.9 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો છે.

આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ઓછી થયેલી શક્યતા છે. ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૈન્ય કાર્યવાહીની ધમકીઓને કારણે રોકાણકારોમાં ભયનો માહોલ હતો. આ ભયને કારણે, તેઓ શેરબજાર જેવા જોખમી રોકાણોમાંથી નાણાં ઉપાડીને સોના-ચાંદી જેવી સુરક્ષિત સંપત્તિમાં રોકાણ કરી રહ્યા હતા, જેના કારણે ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો હતો.

હવે, ઈરાન દ્વારા પ્રદર્શનકારીઓ પરની કાર્યવાહી રોકવામાં આવી હોવાના અહેવાલો અને બંને દેશો વચ્ચે તણાવ ઓછો થવાના સંકેતોને પગલે રોકાણકારોનો ભય ઓછો થયો છે. આના પરિણામે, તેમણે સોના-ચાંદીમાં નફાકારક વેચવાલી શરૂ કરી છે, જેના કારણે ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બજારના નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક સ્તરે કોઈ મોટી રાજકીય અસ્થિરતા ન સર્જાય, ત્યાં સુધી સોના-ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી શકે છે. જોકે, રોકાણકારોને કોઈપણ નિર્ણય લેતા પહેલા વૈશ્વિક પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.