સમાજ સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દઈશ ઃ ચૂંટણી પહેલાં અનંત પટેલનો હુંકાર
February 15, 2026
નવસારી ઃ ગત વિધાનસભામાં કંગાળ પ્રદર્શન બાદ ગુજરાતમાં કોંગ્રેસ હાલ અસ્તિત્વ માટે લડી રહી છે, અમુક ગણ્યા ગાંઠ્યા નેતાઓ છે જે કોંગ્રેસને ગુજરાતમાં ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તેમાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે, 'જો આદિવાસી સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા કોઈ વાર નહીં લાગે'. આદિવાસી સમાજના મોટા નેતાના આ નિવેદનથી હાલ ગુજરાત રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. નવસારીમાં વાંસદામાં આયોજિત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'જો કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે, તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે. હું હંમેશા અન્યાય સામે લડતો આવ્યો છું, ન્યાય માટે આજીવન આદિવાસી સમાજની પડખે ઊભો રહીશ.'
વધુમાં અનંત પટેલે જણાવ્યું કે, 'હું આદિવાસી સમાજમાં જન્મ્યો છું અને આદિવાસી તરીકે જ મરીશ. અમને કોઈ લોભ, લાલચ કે સત્તાની ભૂખ નથી. અમારું એકમાત્ર લક્ષ્ય સમાજનું કલ્યાણ અને સેવા કરવાનું છે.' આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા વહેતી થઈ છે કે ધારાસભ્ય અનંત પટેલ ગમે ત્યારે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. આમ પણ ઘણા સમયથી સૂત્રો દ્વારા દાવાઓ થઈ રહ્યા છે કે અનંત પટેલ આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે, ત્યારે કોંગ્રેસ છોડવાની ચીમકી બાદ આવનારા સમયમાં ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ મચી શકે તેવા સંકેત મળી રહ્યા છે.
Related Articles
કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવાડીમાં વૃદ્ધાના પગ કાપી કડા લૂંટનાર બે શખસોની ધરપકડ
કારના હપ્તા માટે ક્રૂરતાની હદ વટાવી: નસવ...
May 02, 2026
'સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી...'• જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ
'સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી...'•...
May 01, 2026
તાલાલામાં બહુમતીની બબાલ: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને લેવડાવ્યા ઇષ્ટદેવના સોગંદ
તાલાલામાં બહુમતીની બબાલ: પક્ષપલટો રોકવા...
May 01, 2026
કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ
કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આર...
May 01, 2026
સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો
સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મા...
Apr 29, 2026
હિંમતનગર પાસે બસે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કારને ટક્કર મારી, 6 મુસાફરોનાં કમકમાટીભર્યા મોત
હિંમતનગર પાસે બસે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુ...
Apr 29, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026