કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશંકા : પેટાળમાં તણાવ વધતા વિસ્તારને અતિ જોખમી ક્ષેત્ર જાહેર કરાયો
June 29, 2026
ગુજરાતમાં ભૂકંપના જોખમ અંગેના તાજેતરના મૂલ્યાંકન અહેવાલમાં પૂર્વ કચ્છના વાગડ પંથકને અતિ જોખમી ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાપર, ભચાઉ અને સામખિયાળી તેમજ તેની આસપાસના ગ્રામીણ વિસ્તારો સક્રિય ભ્રંશ રેખાઓ પર આવેલા હોવાથી વૈજ્ઞાનિકો ભારે ચિંતામાં મુકાયા છે. જમીનના પેટાળમાં સતત વધી રહેલા તણાવને કારણે આ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6ની તીવ્રતાનો મોટો આંચકો આવી શકે તેવી ગંભીર આશંકા ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નવા વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ દક્ષિણ વાગડ અને કચ્છની મુખ્ય ભ્રંશ રેખાઓ હજુ પણ સક્રિય હોવાથી જમીનની અંદર સતત ઊર્જા અને દબાણ એકઠું થઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે વર્ષ 2001માં આવેલા પ્રચંડ ભૂકંપનું કેન્દ્રબિંદુ પણ ભચાઉ નજીક જ હતું, જેણે આખા વિસ્તારમાં ભારે તારાજી સર્જી હતી. હવે ફરીથી આ જ પટ્ટામાં ભૂગર્ભીય હિલચાલ તેજ બનતા ભવિષ્યમાં મોટી હોનારત સર્જાવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
વાગડ પંથકની ભૌગોલિક રચના જોતા અહીંની જમીન મુખ્યત્વે રેતાળ અને કાંપવાળી છે, જે ભૂકંપના આંચકા વખતે સામાન્ય કરતાં વધુ ધ્રુજારી અનુભવે છે. આ ઉપરાંત, તીવ્ર આંચકા દરમિયાન રેતાળ જમીન પ્રવાહી જેવું સ્વરૂપ ધારણ કરી લેતી હોવાથી મકાનોના પાયા જમીનમાં ગરકાવ થઈ જાય છે. જમીનની આ લાક્ષણિકતાને કારણે દુર્ઘટના સમયે નુકસાનીનું પ્રમાણ અનેકગણું વધી જાય છે.
વર્ષ 2001ની હોનારત બાદ વાગડ વિસ્તારમાં મોટા પાયે ઔદ્યોગિક વિકાસ થયો છે, જેમાં અનેક નવી વસાહતો, કારખાનાં અને પવનચક્કીના પ્રકલ્પો શરૂ થયા છે. પરંતુ ખેદજનક બાબત એ છે કે આમાંના મોટાભાગના બાંધકામોમાં ભૂકંપ સામે રક્ષણ આપતા નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી. આજે પણ રાપર અને ભચાઉ જેવા શહેરી વિસ્તારોમાં અનેક જૂના, જર્જરિત અને નબળા બાંધકામવાળા મકાનો મોજૂદ છે, જે સંભવિત ખતરા વખતે મોટી જાનહાનિ નોતરી શકે છે.
Related Articles
ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું
ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટ...
Jul 15, 2026
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય: 24 કલાકમાં 17 તાલુકાઓમાં હળવો વરસાદ, હવામાન વિભાગ દ્વારા 20 જુલાઈ સુધીની આગાહી જાહેર
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય: 24 કલાકમાં...
Jul 15, 2026
અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ જામીન મેળવી છૂટી ગયા
અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસ...
Jul 13, 2026
ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ પાટણના 8 લોકોની અટકાયત
ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ...
Jul 12, 2026
અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્નાથજીનું દિવ્ય 'મામેરું
અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્ન...
Jul 12, 2026
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજપે સતીષ પટેલને ટિકિટ આપી
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજ...
Jul 12, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026