સુરતમાં આકરી ગરમીએ એકનો લીધો ભોગ, ઝાડા-ઉલટીના કારણે પાલનપુરના યુવાનનું મોત
April 07, 2025

સુરત : સુરત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીએ કેર વર્તાવવાનું શરૂ કરી દીધો છે. ત્યારે છેલ્લા બે દિવસમાં સુરતમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. વધતી જતી ગરમીના લીધે લોકોને ઝાડા-ઉલટી અને લૂ લાગવાની સમસ્યાઓ વધી ગઇ છે. ત્યારે સુરતના પાલનપુરમાં એક યુવકનું ગરમીના લીધે મોત નીપજ્યું છે. યુવકને બે દિવસથી ઝાડા-ઉલટી થતાં તબિયત ખરાબ થઇ હતી, ત્યારે આજે ઝાડા-ઉલટીના લીધે યુવકનું મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના પાલનપુર ટોલનાકા પાસે રહેતા 36 વર્ષીય સાંતદયાલ રામ આચલ નામના યુવકને ગરમીના લીધે ઝાડા-ઉલટીની સમસ્યા થઇ હતી. જેથી યુવકે બે દિવસ ઘરે સારવાર કરી હતી, પરંતુ આ સારવાર જીવલેણ સબિત થઇ છે. ઝાડા-ઉલટીની સમસ્યાને હળવાશમાં લેતાં યુવકની તબિયત વધુ લથડતાં તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, 8-9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 10 જિલ્લામાં યલો ઍલર્ટની આગાહી છે, ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બંને દિવસે કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે 10 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ચાર દિવસ ગરમ અને ભેજવાળુ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
Related Articles
નવસારીની અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતના 3 મિત્રો ડૂબ્યા, 1 યુવાનનું મોત
નવસારીની અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતન...
Apr 07, 2025
દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત
દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં...
Apr 07, 2025
કેનેડામાં ચપ્પાના ઘાથી મૃત્યુ પામેલો યુવક ગુજરાતી નીકળ્યો, પત્નીને બચાવવા જતાં પાડોશીના હુમલામાં મોત
કેનેડામાં ચપ્પાના ઘાથી મૃત્યુ પામેલો યુવ...
Apr 07, 2025
ભગવાન શામળિયાને રામનવમીના પર્વે 3.5 કિલો સોનામાંથી નવનિર્મિત મુગટ ધરાવાયો
ભગવાન શામળિયાને રામનવમીના પર્વે 3.5 કિલો...
Apr 07, 2025
પંચમહાલમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામે સગીરા પર સ્મશાનમાં આચર્યું દુષ્કર્મ
પંચમહાલમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામે સગ...
Apr 06, 2025
ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો, સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ
ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાય...
Apr 06, 2025
Trending NEWS

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025