આગામી 24મીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં, સાધના માટે શ્રેષ્ઠ દિવસ; સોનુ-ચાંદી, ગાયનું ઘી, ચોપડા ખરીદી શકાય
October 19, 2024
આગામી 24 ઓક્ટોબર એટલે કે, આસો વદ-આઠમ, ગુરૂવારના શુભ દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવે છે. શાસ્ત્રવિદોના મતે સરસ્વતી સાધના, મંત્રસાધના અને લક્ષ્મીજીની આરાધના માટે આવર્ષનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્યની શરૂઆત માટેનો સમય સવારના 6:04 અને સવારે 11:00 વાગ્યાથી બપોરના 3:15 સુધી અને સાંજે 4:45 થી 6:00 સુધીનો સમય શ્રેષ્ઠ છે.
મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં રવિવાર-પુષ્ય નક્ષત્ર કરતાં ગુરુવાર પુષ્ય નક્ષત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. ગુરુવાર-પુષ્ય નક્ષત્રને ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ પણ કહેવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર પોષણ કરનાર અર્થાત્ વૃદ્ધિ કરનાર છે, તેથી આ સમય દરમિયાન જે કાર્ય કરવામાં આવે તેમાં હંમેશા વૃદ્ધિ જ થતી રહે છે. આ દિવસે યશ, માન, પ્રતિષ્ઠાને લગતાં સઘળાં કાર્ય કરી શકાય છે. જેના માટેનો સૌથી સરળ ઉપાય પ્રભુભક્તિનો છે. આ દિવસે સોનુ, ચાંદી, ઘરેણાં, ગોળ, ગાયનું શુદ્ધ દેશી ઘી, હળદર તેમજ ચોપડાની ખરીદી શકન તરીકે કરવી જોઈએ.
જૈન વિજ્ઞાની નંદીઘોષસૂરિજીએ જણાવ્યું કે, 'દર મહિને એકવાર ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતો જ હોય છે. પરંતુ તે દિવસે રવિવાર કે ગુરુવાર હોય તો મંત્રસાધના, તંત્રવિધિ અને ધામક અનુષ્ઠાન-આરાધના અંગે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે આસો વદ આઠમના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદય પહેલાં 5:52 મિનિટે પ્રવેશ કરે છે. પરંતુ, સૂર્યોદય સુધી બુધવાર ગણાતો હોવાથી અને ગુરુવારની શરૂઆત સૂર્યોદયથી થતો હોવાથી સૂર્યોદય પછી 7:40 મિનિટે પૂર્ણ થાય છે. તેથી શુક્રવારે સૂર્યોદય સુધીનો સમય ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગ ગણાય છે.
Related Articles
2026ના પહેલા જ દિવસથી આ 3 રાશિના જાતકોને ચારેય તરફથી વધશે પૈસાની આવક, કરિયરમાં પણ સારા યોગ
2026ના પહેલા જ દિવસથી આ 3 રાશિના જાતકોને...
Dec 16, 2025
આજે વિવાહ પંચમી: દુર્લભ રાજયોગના કારણે આ 5 રાશિના જાતકો પર થશે પ્રભુ શ્રીરામની વિશેષ કૃપા!
આજે વિવાહ પંચમી: દુર્લભ રાજયોગના કારણે આ...
Nov 25, 2025
નવી નોકરી, આવકમાં વૃદ્ધિ અને સન્માનમાં વધારો: 2026માં આ મૂળાંકના જાતકો માટે સફળતાના યોગ
નવી નોકરી, આવકમાં વૃદ્ધિ અને સન્માનમાં વ...
Nov 24, 2025
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં તૈયાર થયેલો 22 ફૂટ લાંબો 'ધર્મ ધ્વજ
અયોધ્યા રામ મંદિર પર લહેરાશે અમદાવાદમાં...
Nov 21, 2025
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષમાં 68 લાખ કિલો નકલી ઘીના લાડુ
તિરૂપતિ મંદિરમાં 'પ્રસાદ કૌભાંડ', 5 વર્ષ...
Nov 10, 2025
30 વર્ષ બાદ શનિ-શુક્રની યુતિ, 2026માં ત્રણ રાશિના જાતકો પર થશે ધનવર્ષા
30 વર્ષ બાદ શનિ-શુક્રની યુતિ, 2026માં ત્...
Nov 10, 2025
Trending NEWS
17 December, 2025
17 December, 2025
17 December, 2025
17 December, 2025
17 December, 2025
16 December, 2025
16 December, 2025
16 December, 2025
16 December, 2025
16 December, 2025