આગામી 24મીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં, સાધના માટે શ્રેષ્ઠ દિવસ; સોનુ-ચાંદી, ગાયનું ઘી, ચોપડા ખરીદી શકાય
October 19, 2024
આગામી 24 ઓક્ટોબર એટલે કે, આસો વદ-આઠમ, ગુરૂવારના શુભ દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવે છે. શાસ્ત્રવિદોના મતે સરસ્વતી સાધના, મંત્રસાધના અને લક્ષ્મીજીની આરાધના માટે આવર્ષનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્યની શરૂઆત માટેનો સમય સવારના 6:04 અને સવારે 11:00 વાગ્યાથી બપોરના 3:15 સુધી અને સાંજે 4:45 થી 6:00 સુધીનો સમય શ્રેષ્ઠ છે.
મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં રવિવાર-પુષ્ય નક્ષત્ર કરતાં ગુરુવાર પુષ્ય નક્ષત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. ગુરુવાર-પુષ્ય નક્ષત્રને ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ પણ કહેવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર પોષણ કરનાર અર્થાત્ વૃદ્ધિ કરનાર છે, તેથી આ સમય દરમિયાન જે કાર્ય કરવામાં આવે તેમાં હંમેશા વૃદ્ધિ જ થતી રહે છે. આ દિવસે યશ, માન, પ્રતિષ્ઠાને લગતાં સઘળાં કાર્ય કરી શકાય છે. જેના માટેનો સૌથી સરળ ઉપાય પ્રભુભક્તિનો છે. આ દિવસે સોનુ, ચાંદી, ઘરેણાં, ગોળ, ગાયનું શુદ્ધ દેશી ઘી, હળદર તેમજ ચોપડાની ખરીદી શકન તરીકે કરવી જોઈએ.
જૈન વિજ્ઞાની નંદીઘોષસૂરિજીએ જણાવ્યું કે, 'દર મહિને એકવાર ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતો જ હોય છે. પરંતુ તે દિવસે રવિવાર કે ગુરુવાર હોય તો મંત્રસાધના, તંત્રવિધિ અને ધામક અનુષ્ઠાન-આરાધના અંગે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે આસો વદ આઠમના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદય પહેલાં 5:52 મિનિટે પ્રવેશ કરે છે. પરંતુ, સૂર્યોદય સુધી બુધવાર ગણાતો હોવાથી અને ગુરુવારની શરૂઆત સૂર્યોદયથી થતો હોવાથી સૂર્યોદય પછી 7:40 મિનિટે પૂર્ણ થાય છે. તેથી શુક્રવારે સૂર્યોદય સુધીનો સમય ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગ ગણાય છે.
Related Articles
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ આગામી 35 દિવસ સુધી સાવચેત રહેવું
આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ...
Mar 12, 2026
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ દુર્લભ સંયોગ! જાણો ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
ચૈત્ર નવરાત્રિ 2026: આ વખતે 72 વર્ષ બાદ...
Mar 10, 2026
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ
વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવ...
Feb 27, 2026
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાત...
Feb 23, 2026
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ! 4 રાશિના જાતકો પર ધનવર્ષા નક્કી!
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ!...
Feb 12, 2026
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જાતકો માટે લાવશે અચ્છે દિન!
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જા...
Feb 07, 2026
Trending NEWS
16 March, 2026
16 March, 2026
16 March, 2026
16 March, 2026
16 March, 2026
16 March, 2026
16 March, 2026
16 March, 2026
16 March, 2026
16 March, 2026