આવતીકાલથી શનિ અસ્ત થતાં 3 રાશિના જાતકોએ આગામી 35 દિવસ સુધી સાવચેત રહેવું
March 12, 2026
વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને કર્મ અને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જ્યારે શનિ પોતાની સ્થિતિ બદલે છે અથવા અસ્ત થાય છે, તો તેની અસર કેટલીક રાશિઓ પર પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 13 માર્ચ 2026ના રોજ શનિ મીન રાશિમાં અસ્ત થશે અને લગભગ 35 દિવસ સુધી એટલે કે 17 એપ્રિલ 2026 સુધી આ જ અવસ્થામાં રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિઓ માટે સમય થોડો પડકારરૂપ હોય શકે છે. ખાસ કરીને તુલા, મકર અને કુંભ રાશિના જાતકોને આ સમય દરમિયાન વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.
તુલા રાશિ
તુલા રાશિમાં શનિને ઉચ્ચ માનવામાં આવે છે, તેથી આ જાતકો પર શનિનો પ્રભાવ ખાસ રહેશે. જ્યારે શનિ અસ્ત થાય છે ત્યારે તેની કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે, જેનાથી આર્થિક સંતુલન બગડી શકે છે. આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી છે. આ ઉપરાંત લોકો સાથે વાત કરતી વખતે તમારા શબ્દોનો કાળજીપૂર્વક પ્રયોગ કરો, નહીંતર ગેરસમજ થઈ શકે છે. આ સમય દરમિયાન શનિવારે સરસવના તેલનું દાન કરવું લાભદાયી માનવામાં આવે છે.
મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિ છે, તેથી શનિ અસ્તની અસર આ રાશિ પર વધુ થઈ શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ ઘટી શકે છે, અને તમને કામમાં મન ઓછું લાગી શકે છે. જો કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો તેમાં વિલંબ થઈ શકે છે અથવા મુશ્કેલીઓ વધી શકે છે. આર્થિક મામલે પણ સાવચેત રહેવાની જરૂ છે, તેથી પૈસા ઉધાર લેવાનું કે ઉધાર આપવાનું ટાળવું શ્રેષ્ઠ છે. નોકરી શોધી રહેલા લોકોએ વધુ મહેનત કરવી પડી શકે છે. આ સમય દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી પણ શનિ છે, તેથી શનિ અસ્તની અસર આ રાશિના જાતકો પર પણ પડી શકે છે. કરિયર અને બિઝનેસ સબંધિત નિર્ણયો સમજી-વિચારીને લેવા પડશે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સમય દરમિયાન તમારું વર્તન થોડું કઠોર બની શકે છે, જેની સંબંધો પર અસર પડી શકે છે. આર્થિક મામલે પણ બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. પ્રેમ અને વૈવાહિક જીવનમાં પણ નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. આવી પરિસ્થિતિમાં કાળા કૂતરાને રોટલી ખવડાવવી શુભ માનવામાં આવે છે.
Related Articles
2 દિવસ બાદ બુધની ચાલ બદલાશે, 5 રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે, બમ્પર ધન લાભની શક્યતા!
2 દિવસ બાદ બુધની ચાલ બદલાશે, 5 રાશિના જા...
Jun 20, 2026
યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન
યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુ...
Jun 19, 2026
રામ મંદિરમાં દાન ચોરી વિવાદ, યોગી બોલ્યા 'SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દેશે
રામ મંદિરમાં દાન ચોરી વિવાદ, યોગી બોલ્ય...
Jun 19, 2026
દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, નંદઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યું દ્વારકા
દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્...
Jun 09, 2026
સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ
સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર...
Jun 08, 2026
કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રામ મંદિરથી કરોડોનો ચઢાવો ગાયબ...', અખિલેશ યાદવનો આરોપ
કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રામ મંદિરથ...
Jun 07, 2026
Trending NEWS
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
19 June, 2026
17 June, 2026