મૈસુરમાં બસની ટક્કરથી ઈનોવાનું કચ્ચરઘાણ, 2 બાળકો સહિત 10ના ઘટના સ્થળે જ મોત

May 30, 2023

મૈસુર પાસે આજે બસ અને ઈનોવા કાર સાથે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઈનોવા મુસાફરી કરી રહેલા 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.જેમા બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. તેને થોડી ઈજા થતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૈસુર પોલીસ અધિક્ષક સીમા લતકરે વાત કરતા કહ્યુ કે આ દુર્ઘટના તિરુમકૂડલુ અને નરસીપુરની વચ્ચે થઈ હતી. 


 સવારે અહી એક ઈનોવા બસ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. માહિતી પ્રમાણે આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઈનોવાનું કાગળની જેમ કચ્ચરઘાણ વળી ગયું હતું. અને ઈનોવામાં મુસાફરી કરી રહેલા લોકો એવી રીતે દબાઈને મોતને ભેટ્યા છે કે તેમની લાશ કાઢવી પણ મુશ્કેલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘણી મહેનત પછી કારમાથી લાશ કાઢવામાં આવી હતી અને ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવી હતી. 


 સાથે એક વ્યક્તિ ઘાયક થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ ઘટવાની તપાસમાં કરવામાં જોડાયેલી છે. જેમા આસપાસના સ્થાનિક લોકો પાસેથી ઘટના અંગની જાણકારી લેવામાં આવી રહી છે. તે ઉપરાંત સીસીટીવી ફુટેજની પણ તપાસ કરવામાં આવી રહ્યા છે.