મધ્યપ્રદેશ: સતનામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, એકનું મોત-બે ઘાયલ

October 04, 2023

મધ્યપ્રદેશના સતનાના સિટી કોતવાલી પોલીસ સ્ટેશન હેઠળ બિહારી ચોક પાસે આવેલી 3 માળની ઈમારત મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે ધરાશાયી થઈ હતી. નરેન્દ્ર સબનાની નામના વેપારીની આ કપડાની દુકાન હતી. ઘટના સમયે રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. ઈમારત ધરાશાયી થવાને કારણે તેમાં કામ કરી રહેલા ત્રણ મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.

આ ઘટના બનતા જ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ એસડીઆરએફની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અઢી કલાકની જહેમત બાદ બે મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

બે જેસીબી મશીન લાવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. લગભગ 3 કલાકની જહેમત બાદ કાટમાળ નીચે દટાયેલા બંને મજૂરોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને મોટી ઈજા થઈ નથી. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય એકનું મોત થયું હતું.

આ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પિંકી કલેક્શન નામની કપડાની દુકાન ચાલી રહી છે, જ્યારે બિલ્ડીંગના માલિક પિંકી સબનાની ઉપરના બે માળનું બાંધકામ કરી રહ્યા હતા. છેલ્લા 10 દિવસથી અહીં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. કદાચ આ જ કારણ હતું કે 40 વર્ષ જૂની ઈમારત તોડફોડના કારણે નબળી પડી ગઈ હતી અને ધરાશાયી થઈ ગઈ હતી.