મધ્યપ્રદેશ: સતનામાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, એકનું મોત-બે ઘાયલ
October 04, 2023

મધ્યપ્રદેશના સતનાના સિટી કોતવાલી પોલીસ સ્ટેશન હેઠળ બિહારી ચોક પાસે આવેલી 3 માળની ઈમારત મંગળવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે ધરાશાયી થઈ હતી. નરેન્દ્ર સબનાની નામના વેપારીની આ કપડાની દુકાન હતી. ઘટના સમયે રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. ઈમારત ધરાશાયી થવાને કારણે તેમાં કામ કરી રહેલા ત્રણ મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
આ ઘટના બનતા જ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ એસડીઆરએફની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અઢી કલાકની જહેમત બાદ બે મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે એકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
બે જેસીબી મશીન લાવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. લગભગ 3 કલાકની જહેમત બાદ કાટમાળ નીચે દટાયેલા બંને મજૂરોને એક પછી એક બહાર કાઢવામાં આવ્યા હતા. બંનેને મોટી ઈજા થઈ નથી. તેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય એકનું મોત થયું હતું.
આ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પિંકી કલેક્શન નામની કપડાની દુકાન ચાલી રહી છે, જ્યારે બિલ્ડીંગના માલિક પિંકી સબનાની ઉપરના બે માળનું બાંધકામ કરી રહ્યા હતા. છેલ્લા 10 દિવસથી અહીં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. કદાચ આ જ કારણ હતું કે 40 વર્ષ જૂની ઈમારત તોડફોડના કારણે નબળી પડી ગઈ હતી અને ધરાશાયી થઈ ગઈ હતી.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025