Breaking News :
લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર મણિપુરમાં ફરી ભારેલો અગ્નિ: ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ બંધ પત્નીને કહેજો હું તેને પ્રેમ કરું છું..., રસ્તા પર વિમાનનું ક્રેશ લેન્ડિંગ, 3 કારને ઉડાવી છતાં કુદરતનો ચમત્કાર! 'FIR નોંધીને ધરપકડ કરો..', PM મોદી સાથે 'અપ્રિય ઘટના'ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ: બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું, એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે ઓટાવામાં હાઈ-પ્રોફાઈલ બેઠક યોજાઈ

પંચમહાલ: કુરિવાજો-ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની અનોખી પહેલ, 'સામાજિક બંધારણ' તૈયાર

February 08, 2026

પંચમહાલ:  પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની નવી લહેર જોવા મળી છે. જેમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા કુરિવાજો, ખર્ચા દૂર કરવા ક્ષત્રિય સમાજની ભદ્રાલા ગામે યોજાયેલી બેઠકમાં બંધારણ ઘડવામાં આવ્યું છે.
વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે મધ્યમ અને ગરીબ વર્ગનો માણસ જ્યારે આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણાની એક અનોખી પહેલ શરૂ થઈ છે. લગ્ન અને મરણ જેવા પ્રસંગોએ થતાં બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો દૂર કરી 'શિક્ષિત બનો અને સંગઠિત બનો'ના સૂત્રને સાર્થક કરવા ક્ષત્રિય સમાજ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ભદ્રાલા ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં લાભી, ભદ્રાલા, હાંસાપુર, ધાંધલપુર અને સલામપુરા એમ પાંચ ગામોના ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. 


આ બેઠકમાં સામાજિક પ્રસંગોને સરળ બનાવવા અને આર્થિક બોજ ઘટાડવા માટે સર્વાનુમતે એક 'સામાજિક બંધારણ' ઘડવામાં આવ્યું છે. નવા બંધારણની મુખ્ય જોગવાઈઓ મુજબ સોના-ચાંદીના દાગીના, લગ્ન પ્રસંગે વ્યવહારમાં આપવામાં આવતા સોના-ચાંદીના દાગીનાની સંખ્યા મર્યાદિત રાખવી, ખર્ચ પર નિયંત્રણ જેવા કે ડીજે મ્યુઝિક સિસ્ટમ, મોસાળું અને કપડાંની લેવડદેવડના બિનજરૂરી ખર્ચ બંધ કરવા, જમણવારમાં પીરસવામાં આવતી વાનગીઓની સંખ્યામાં ઘટાડો કરવો. સાથે-સાથે નિયમોનું પાલન નહીં કરનારા તેમજ પ્રસંગોમાં દારૂ પીને આવનાર કે ઝઘડો કરનાર વ્યક્તિ સામે કડક દંડનીય કાર્યવાહી કરવી સહિતના નિર્ણયો લેવાયા છે. આ સાથે લગ્નમાં થતાં ખોટા ખર્ચાથી બચવા સમુહ લગ્નોમાં સંતાનોના લગ્ન કરાવવા સૂચન પણ કરાયુ હતું.