આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ, એકનું મોત

December 29, 2025

આંધ્રપ્રદેશના યાલામાંચિલીમાં એક મોટી રેલ્વે દુર્ઘટના બની. ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચ B1 અને M2 માં અચાનક આગ લાગી ગઈ. આગને કારણે ટ્રેનમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ ઘણા મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કોચ B1 અને M2 સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે ઘણા અન્ય મુસાફરો બચી ગયા હતા. રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે આગ લાગી હતી.