કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા
June 26, 2026
ઓટાવા : કેનેડાએ પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે 1985માં એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 'કનિષ્ક'માં થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ કેનેડામાં હાજર ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો. કેનેડાની ગુપ્તચર એજન્સી કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ આ ઘટનાને 'ઘૃણાસ્પદ આતંકવાદી કૃત્ય' ગણાવ્યું છે.
23 જૂને આ ઘટનાના 41 વર્ષ પૂરા થવા પર CSISએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન એજન્સીએ લખ્યું,
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 329 લોકોના મોત થયા હતા. તેમાંથી 268 કેનેડિયન નાગરિકો હતા, જેમાં મોટાભાગના ભારતીય મૂળના હતા. 24 લોકો ભારતના નાગરિક હતા.
23 જૂન 1985ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 'કનિષ્ક' મોન્ટ્રિયલથી લંડન થઈને નવી દિલ્હી આવી રહી હતી. લંડનના હીથ્રો એરપોર્ટ પહોંચવાના લગભગ 45 મિનિટ પહેલા આયર્લેન્ડના દરિયાકિનારે એટલાન્ટિક મહાસાગર ઉપર વિમાનમાં જોરદાર વિસ્ફોટ થયો અને વિમાન હવામાં જ તૂટીને સમુદ્રમાં પડી ગયું. તેમાં સવાર તમામ લોકોના મોત થયા.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ આ ઘટનાને દેશના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું, "41 વર્ષ પહેલાં એર ઇન્ડિયા ફ્લાઇટ 182 બોમ્બ વિસ્ફોટમાં 329 નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જેમાં 268 કેનેડિયન નાગરિકો હતા. આ આજે પણ કેનેડાના ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો છે. કેનેડા દરેક પ્રકારના હિંસક આતંકવાદની વિરુદ્ધ ઊભું છે."
તપાસમાં સામે આવ્યું કે વિસ્ફોટક એક સૂટકેસમાં છુપાવીને વિમાનના ચેક-ઇન બેગેજમાં રાખવામાં આવ્યો હતો. આ સૂટકેસ જે યાત્રીના નામથી ચેક-ઇન થયો હતો, તે પોતે વિમાનમાં સવાર જ નહોતો થયો.
કેનેડિયન તપાસ એજન્સીઓએ નિષ્કર્ષ કાઢ્યો હતો કે આ હુમલો 1984માં થયેલા ઓપરેશન બ્લુ સ્ટારના જવાબમાં કરવામાં આવ્યો હતો. ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન ભારતીય સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તપાસ મુજબ, આના જ પ્રતિશોધમાં શીખ અલગતાવાદીઓએ એર ઇન્ડિયા વિમાનને નિશાન બનાવ્યું હતું.
એર ઇન્ડિયા ફ્લાઇટ 182 પર થયેલો હુમલો આજ પણ કોઈ પેસેન્જર પ્લેન પર થયેલો દુનિયાનો સૌથી ઘાતક બોમ્બ ધમાકો માનવામાં આવે છે. જોકે, 2001ના 9/11ના હુમલાઓ પછી આ ઘટના વૈશ્વિક સ્તરે અમુક હદ સુધી ચર્ચામાંથી બહાર થઈ ગઈ, પરંતુ કેનેડા, ભારત અને આયર્લેન્ડમાં તેને આજ પણ ભૂલાવવામાં આવ્યું નથી.
ભારત શરૂઆતથી કહેતું રહ્યું છે કે આ હુમલાનું કાવતરું કેનેડાની ધરતી પર સક્રિય ખાલિસ્તાની આતંકવાદીઓએ રચ્યું હતું. પરંતુ કેનેડાની સરકાર અને સરકારી સંસ્થાઓ દાયકાઓ સુધી જાહેરમાં 'ખાલિસ્તાની' શબ્દનો ઉપયોગ કરવાનું ટાળતી રહી.
Related Articles
કેનેડા પર ટેરિફ એ અમારા પર આર્થિક હુમલો છે, હવે પાછા નહીં પડીએ ઃ કાર્નીનો હુંકાર
કેનેડા પર ટેરિફ એ અમારા પર આર્થિક હુમલો...
Aug 23, 2026
કેનેડામાં નમકીન ખાતા જ કરનાલના યુવકનું હાર્ટફેલ:ગર્ભવતી પત્ની સાથે ચાલવા નીકળ્યો હતો; વહુની ડિલિવરી માટે પરિવાર વિદેશ જવાનો હતો
કેનેડામાં નમકીન ખાતા જ કરનાલના યુવકનું હ...
Aug 20, 2026
ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમાં તેના પાર્ટનરની ધરપકડ
ટોરન્ટોમાં ભારતીય મહિલાની હત્યાના આરોપમા...
Aug 13, 2026
કેનેડાએ ચાલુ વર્ષે છ મહિનામાં 3,323 ભારતીયોને ઘરભેગા કર્યા, હજુ 7669 સામે લટકતી તલવાર
કેનેડાએ ચાલુ વર્ષે છ મહિનામાં 3,323 ભારત...
Aug 13, 2026
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા...
Aug 10, 2026
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત 11 ભારતીય ટ્રક ડ્રાઇવરની ધરપકડ
કેનેડામાં 13.9 કરોડ ડોલરનું ડ્રગ્સ જપ્ત...
Jul 27, 2026
Trending NEWS
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026