કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા
June 26, 2026
ઓટાવા : કેનેડાએ પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે 1985માં એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 'કનિષ્ક'માં થયેલા બોમ્બ વિસ્ફોટ પાછળ કેનેડામાં હાજર ખાલિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો. કેનેડાની ગુપ્તચર એજન્સી કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS)એ આ ઘટનાને 'ઘૃણાસ્પદ આતંકવાદી કૃત્ય' ગણાવ્યું છે.
23 જૂને આ ઘટનાના 41 વર્ષ પૂરા થવા પર CSISએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન એજન્સીએ લખ્યું,
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 329 લોકોના મોત થયા હતા. તેમાંથી 268 કેનેડિયન નાગરિકો હતા, જેમાં મોટાભાગના ભારતીય મૂળના હતા. 24 લોકો ભારતના નાગરિક હતા.
23 જૂન 1985ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ 182 'કનિષ્ક' મોન્ટ્રિયલથી લંડન થઈને નવી દિલ્હી આવી રહી હતી. લંડનના હીથ્રો એરપોર્ટ પહોંચવાના લગભગ 45 મિનિટ પહેલા આયર્લેન્ડના દરિયાકિનારે એટલાન્ટિક મહાસાગર ઉપર વિમાનમાં જોરદાર વિસ્ફોટ થયો અને વિમાન હવામાં જ તૂટીને સમુદ્રમાં પડી ગયું. તેમાં સવાર તમામ લોકોના મોત થયા.
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ આ ઘટનાને દેશના ઇતિહાસનો સૌથી ઘાતક આતંકી હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું, "41 વર્ષ પહેલાં એર ઇન્ડિયા ફ્લાઇટ 182 બોમ્બ વિસ્ફોટમાં 329 નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જેમાં 268 કેનેડિયન નાગરિકો હતા. આ આજે પણ કેનેડાના ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો છે. કેનેડા દરેક પ્રકારના હિંસક આતંકવાદની વિરુદ્ધ ઊભું છે."
તપાસમાં સામે આવ્યું કે વિસ્ફોટક એક સૂટકેસમાં છુપાવીને વિમાનના ચેક-ઇન બેગેજમાં રાખવામાં આવ્યો હતો. આ સૂટકેસ જે યાત્રીના નામથી ચેક-ઇન થયો હતો, તે પોતે વિમાનમાં સવાર જ નહોતો થયો.
કેનેડિયન તપાસ એજન્સીઓએ નિષ્કર્ષ કાઢ્યો હતો કે આ હુમલો 1984માં થયેલા ઓપરેશન બ્લુ સ્ટારના જવાબમાં કરવામાં આવ્યો હતો. ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન ભારતીય સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિર પરિસરમાં છુપાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તપાસ મુજબ, આના જ પ્રતિશોધમાં શીખ અલગતાવાદીઓએ એર ઇન્ડિયા વિમાનને નિશાન બનાવ્યું હતું.
એર ઇન્ડિયા ફ્લાઇટ 182 પર થયેલો હુમલો આજ પણ કોઈ પેસેન્જર પ્લેન પર થયેલો દુનિયાનો સૌથી ઘાતક બોમ્બ ધમાકો માનવામાં આવે છે. જોકે, 2001ના 9/11ના હુમલાઓ પછી આ ઘટના વૈશ્વિક સ્તરે અમુક હદ સુધી ચર્ચામાંથી બહાર થઈ ગઈ, પરંતુ કેનેડા, ભારત અને આયર્લેન્ડમાં તેને આજ પણ ભૂલાવવામાં આવ્યું નથી.
ભારત શરૂઆતથી કહેતું રહ્યું છે કે આ હુમલાનું કાવતરું કેનેડાની ધરતી પર સક્રિય ખાલિસ્તાની આતંકવાદીઓએ રચ્યું હતું. પરંતુ કેનેડાની સરકાર અને સરકારી સંસ્થાઓ દાયકાઓ સુધી જાહેરમાં 'ખાલિસ્તાની' શબ્દનો ઉપયોગ કરવાનું ટાળતી રહી.
Related Articles
કેનેડામાં જંગલની આગને કારણે ટ્રેન 'જ્વાળાઓથી ઘેરાઈ ગઈ
કેનેડામાં જંગલની આગને કારણે ટ્રેન 'જ્વાળ...
Jul 16, 2026
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર
કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિ...
Jul 13, 2026
કેનેડા અને મેક્સિકોમાં પણ ગરમીનો કહેર, કુલિંગ સેન્ટર શરૂ કરવા પડ્યા
કેનેડા અને મેક્સિકોમાં પણ ગરમીનો કહેર, ક...
Jul 01, 2026
કેનેડાના સરેમાં ગોળીબાર અને આગચંપી મામલે 3 ભારતીયોને સજા, એકને તો 5 વર્ષની કેદ
કેનેડાના સરેમાં ગોળીબાર અને આગચંપી મામલે...
Jun 11, 2026
કેનેડાના પાઈલટ પર ગંભીર આરોપ : 'ફેક' લાયસન્સના સહારે 16 વર્ષ સુધી 900 ફ્લાઈટો ઉડાવી
કેનેડાના પાઈલટ પર ગંભીર આરોપ : 'ફેક' લ...
Jun 10, 2026
કેનેડામાં વર્ક પરમિટ વગર નોકરી? આ ૩ કેટેગરીના લોકોને મળે છે ખાસ છૂટ
કેનેડામાં વર્ક પરમિટ વગર નોકરી? આ ૩ કેટે...
Jun 02, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026