આંદોલન ચાલુ રહેશે, નોકરી એ જવાબદારી; કુશ્તીબાજોએ આંદોલનમાંથી નામ પાછું ખેંચવા પર કર્યો ખુલાસો

June 05, 2023

રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં ધરણામાં સામેલ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પીછેહઠ કરી લેતા દેખાવોમાંથી તેમના નામ પાછા ખેંચી લીધા છે. સાક્ષી મલિકના ખસી જવાને કુસ્તીબાજોના આંદોલન માટે આંચકા તરીકે જોવામાં આવી રહ્યું હતું જેના બાદ ત્રણેય કુશ્તીબાજોએ નામ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, સાક્ષી મલિકે નોર્થ રેલવેમાં પોતાની નોકરીમાં ફરી જોડાઈ છે અને આંદોલનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જોકે ત્યારબાદ બજરંગ પુુુુુનિયા અને વિનેશ ફોગાટે પણ આંદોલનમાંથી નામ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તેઓ પણ રેલવેમાં નોકરી પર પરત ફરી ગયા છે. આ પહેલા તેમની કેન્દ્રીય ગૃહમંત્રી સાથે બેઠક થઈ હતી. જેના બાદ નામ પાછા ખેંચી લીધા હોવાની માહિતી મળી છે.    

વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક શનિવારે રાત્રે જ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ બેઠક દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આ મામલે કાયદો પોતાનો માર્ગ અપનાવશે અને આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. જો આ મામલામાં કોઈ દોષિત સાબિત થશે તો તેને બક્ષવામાં આવશે નહીં. માનવામાં આવે છે કે સાક્ષી મલિકે ગૃહમંત્રી તરફથી આશ્વાસન મળ્યા બાદ જ આ નિર્ણય લીધો છે. હાલમાં, આંદોલનમાં તેમના સાથીદારોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. સાક્ષી માલિક બાદ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા પણ નોકરી પર પાછા ફર્યા છે.

રિયો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષીએ ટ્વીટ કર્યું કે,  ન્યાયની લડાઈમાં કોઈ પીછેહઠ કરી નથી અને કરશે પણ નહીં. સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહી છું. અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. મેહરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.