યુપીમાં બનશે નવી વિધાનસભા, 25 ડિસેમ્બરે શિલાન્યાસ થાય તેવી શક્યતા

September 20, 2023

નવી દિલ્હીમાં સંસદભવનની તર્જ પર ઉત્તર પ્રદેશમાં નવી વિધાનસભાની ઇમારત બનાવવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર 25 ડિસેમ્બરે નવા વિધાનસભા ભવનનો શિલાન્યાસ કરવામાં આવી શકે છે. દારુલ શફા અને આજુબાજુના વિસ્તારને જોડીને એક નવી ઈમારત બનાવવામાં આવશે, જેમાં અંદાજે 3,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે.

યોગી સરકારનું લક્ષ્ય આ નવા બિલ્ડિંગમાં 18મી વિધાનસભાનું ઓછામાં ઓછું એક સત્ર યોજવાનું છે. તમને જણાવી દઈએ કે હાલની બિલ્ડીંગ જરૂરિયાત મુજબ નાની બની રહી છે. હાલની ઇમારતનું ઉદ્ઘાટન 1928માં થયું હતું. વર્ષ 2023-24ના સામાન્ય બજેટમાં ટોકન તરીકે 50 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

મીડિયા અહેવાલો અનુસાર, થોડા સમય પહેલા રાજ્યમાં નવા વિધાનસભા ભવન બનાવવા માટે સલાહકારની પસંદગી કરવામાં આવી હતી. કન્સલ્ટન્ટે સર્વે અને માટી પરીક્ષણની કામગીરી પૂર્ણ કરી. હાલમાં, આ સર્વે તદ્દન ગુપ્ત રાખવામાં આવી રહ્યો છે.