પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં 3 દિવસ રાષ્ટ્રીય શોક પળાશે
April 22, 2025
વેટિકનના 'રાજા' અને વિશ્વના મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું 21 એપ્રિલના રોજ 88 વર્ષની વયે અવસાન થયું. ભારતે તેમના માનમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય (MHA) દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, 'સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું સોમવાર, 21 એપ્રિલ 2025 ના રોજ અવસાન થયું. તેમના માનમાં ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. 22 અને 23 એપ્રિલે દેશભરમાં શોકનો દિવસ રહેશે, અને ત્યારબાદ પોપના અંતિમ સંસ્કારના દિવસે પણ રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય શોકનો પ્રથમ તબક્કો બે દિવસનો રહેશે, જે મંગળવાર, 22 એપ્રિલ અને બુધવાર, 23 એપ્રિલના રોજ અમલમાં રહેશે. પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારના દિવસે શોકનો ત્રીજો દિવસ પળાશે. આ સમયગાળા દરમિયાન, ભારતભરમાં જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં.
Related Articles
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલ...
Jan 17, 2026
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે ટ્રેન
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027...
Jan 17, 2026
મહારાષ્ટ્રની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈમાં છવાયા CMના પોસ્ટર
મહારાષ્ટ્રની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દે...
Jan 17, 2026
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં મહિલા પોલીસકર્મી પણ સામેલ
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના...
Jan 17, 2026
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિ...
Jan 15, 2026
Trending NEWS
15 January, 2026
15 January, 2026
15 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026