Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ વહીવટીતંત્રમાં દોડધામ મચી

July 06, 2025

દિલ્હી : દિલ્હીની તિહાર જેલમાં સજા કાપી રહેલો સીરિયલ કિલર સોહરાબ ફરાર થઈ ગયો છે. સોહરાબ ત્રણ દિવસ માટે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ જેલ પાછો ફર્યો નહીં. લખનઉ પોલીસ સાથે મળીને જેલ પ્રશાસન સોહરાબને શોધી રહ્યું છે.
સોહરાબ ખૂંખાર સીરિયલ કિલર છે. તેણે ઘણી હત્યાઓ કરી છે. સમાજવાદી પાર્ટીની સરકાર દરમિયાન સોહરાબએ લખનઉના સઆદતગંજમાં પૂર્વ સાંસદ શફીકુર રહેમાન બર્કના પૌત્રની હત્યા કરાવી હતી. આ ઉપરાંત સોહરાબ એક પૂર્વ કાઉન્સિલરની હત્યાના કાવતરામાં પણ સામેલ રહ્યો છે. સોહરાબ લખનઉના અમીનાબાદમાં શૂટરને ભાડે રાખીને ભાજપના કાઉન્સિલર પપ્પુ પાંડેની હત્યા કરાવી હતી.


વર્ષ 2005માં સોહરાબના નાના ભાઈ શહજાદેની લખનઉના હુસૈનગંજમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદથી સોહરાબ અને તેના બે ભાઈઓએ હત્યારાઓને મારી નાખવાનો પ્લાન ઘડ્યો હતો. તેમના ભાઈની હત્યાના એક વર્ષ પછી ઈદના દિવસે ત્રણ ભાઈઓ, સોહરાબ, સલીમ અને રૂસ્તમે તેમના ભાઈના હત્યારાઓને મારી નાખ્યા. હત્યા કરતા પહેલા, સોહરાબ, લખનઉના તત્કાલીન એસએસપીને ફોન કરીને કહ્યું કે, 'મારા ભાઈની હત્યાનો બદલો લેવા જઈ રહ્યો છું.'