વાસણા બેરેજના બે દરવાજા ખોલી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયુ

June 17, 2025

અમદાવાદમાં ગઈ કાલે રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પહેલા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. બીજી તરફ વરસાદને કારણે સિંચાઈ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યાં છે. બે દરવાજા ખોલીને ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગે પાણી છોડીને જળસપાટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. વાસણા બેરેજની ટીમને એલર્ટ રહેવા સૂચના આપી દેવાઈ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં પાણીની આવક થતાં સિંચાઈ વિભાગ પણ એલર્ટ થઈ ગયો છે. નદીની જળસપાટીમાં વધારો થતાં વાસણા બેરેજના બે દરવાજા ખોલીને ત્રણ હજાર ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજની ટીમે પાણી છોડીને જળસપાટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીની આવક વધવા પામી છે.