ગુજરાતમાં એક વર્ષમાં 959 હત્યા, 610 બળાત્કાર, 13 હજારથી વધુ ચોરી, 1846 અપહરણ : NCRBનો રિપોર્ટ
December 05, 2023

ગુજરાતમાં એક વર્ષમાં 959 વ્યક્તિની હત્યા, 13 હજારથી વધુ ચોરી, 610 બળાત્કાર અને 1846 જેટલી અપહરણની ઘટનાઓ નોંધાઈ છે. હત્યા કરવાના હેત માટે નાના ટકરાવ, દુશ્મની બાદ પ્રેમપ્રકરણ સૌથી વધુ જવાબદાર છે. એક વર્ષમાં પ્રેમ પ્રકરણના કારણે 134 હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા વર્ષ 2022નો અહેવાલ જાહેરાત કરાઈ છે. જેના અનુસાર, ગુજરાતમાં ચોરીની સૌથી વધુ ઘટના રાત્રિના સમયે થાય છે. રાત્રિના 2953 અને સવારે 360 ઘટના નોંધાઈ છે. અહેવાલ પ્રમાણે હત્યા થઈ હોય તેમાં સૌથી વધુ 372ની ઉંમર 30થી 45ની છે, જેમાં 283 વ્યક્તિની ઉંમર 18થી 30 વર્ષના છે. એક વર્ષમાં 49 સિનીયર સિટીઝનની હત્યા થઈ છે. સિનીયર સિટીઝનની હત્યા થઈ હોય તેમાં 36 પુરુષ અને 13 મહિલા છે.
સિનીયર સિટીઝન પર થયેલા ગુનાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વર્ષ 2022માં સિનીયર સિટીઝન સામે ગુનાની એક વર્ષની 238 જ્યારે સુરતમાં 33 ઘટના નોંધાઈ છે. અમદાવાદમાં 2020માં 709, 2021માં 244 જેટલા કેસ સિનીયર સિટીઝન સામે ગુનાના નોંધાયા હતા. વર્ષ 2022 પ્રમાણે આ પ્રકારના ગુનામાં અમદાવાદમાં ચાર્જ શીટ 87.70 ટકા સુરતમાં 97 ટકા છે. અમદાવાદમાં વર્ષ 2022માં 8 સિનીયર સિટીઝનની હત્યા થઈ છે, જ્યારે 37 ચોરી અને 10 લૂંટના શિકાર બન્યા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા અનુસાર, ભારતમાં 2022માં હત્યાના કુલ 28522 કેસ નોંધાયા હતા. વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે રોજના 78 અને દર કલાકે 3 લોકોની હત્યા થઇ છે. એનસીઆરબીએ અગાઉ 2021માં 29272 જ્યારે 2020માં 29193 હત્યાના કેસ નોંધાયેલા હોવાની જાણકારી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંર્તગત કામ કરતા એનસીઆરબીએ નોંધ્યું છે કે 2022માં 9962 જેટલી હત્યાઓનું કારણ વિવાદ રહ્યો છે.
3761 હત્યાઓ અંગત દુશ્મની જ્યારે 1884 હત્યાઓ કોઇ લાભ મેળવવાની ગણતરીથી થયેલી છે. હત્યા સંબંધી કેસોના પીડિતોમાં 8125 મહિલાઓ અને 9 થર્ડ જેન્ડર હતા. દેશમાં પ્રતિ લાખ વસ્તીએ હત્યાનું પ્રમાણ 2.1 જેટલું હતું જયારે આરોપપત્ર દાખલ કરવાનો દર 81.5 હતું. માહિતી અનુસાર રાજયોમાં સૌથી હત્યાઓ અને પ્રાથમિક ફરિયાદ ઉત્તરપ્રદેશમાં નોંધાયેલી છે. યુપીમાં સૌથી વધુ 3491, બિહારમાં 2930, મહારાષ્ટ્રમાં 2295, મધ્યપ્રદેશમાં 1978 અને રાજસ્થાનમાં 1834 ફરિયાદો નોંધાયેલી છે. દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે તેમાં સિક્કિમ 9, નાગાલેંડ 21, મિઝોરમ 31, ગોવા 44 અને મણીપુર 47નો સમાવેશ થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજધાની દિલ્હીમાં 509 કેસ નોંધાયા હતા.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025