ગુજરાતમાં એક વર્ષમાં 959 હત્યા, 610 બળાત્કાર, 13 હજારથી વધુ ચોરી, 1846 અપહરણ : NCRBનો રિપોર્ટ
December 05, 2023
ગુજરાતમાં એક વર્ષમાં 959 વ્યક્તિની હત્યા, 13 હજારથી વધુ ચોરી, 610 બળાત્કાર અને 1846 જેટલી અપહરણની ઘટનાઓ નોંધાઈ છે. હત્યા કરવાના હેત માટે નાના ટકરાવ, દુશ્મની બાદ પ્રેમપ્રકરણ સૌથી વધુ જવાબદાર છે. એક વર્ષમાં પ્રેમ પ્રકરણના કારણે 134 હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા વર્ષ 2022નો અહેવાલ જાહેરાત કરાઈ છે. જેના અનુસાર, ગુજરાતમાં ચોરીની સૌથી વધુ ઘટના રાત્રિના સમયે થાય છે. રાત્રિના 2953 અને સવારે 360 ઘટના નોંધાઈ છે. અહેવાલ પ્રમાણે હત્યા થઈ હોય તેમાં સૌથી વધુ 372ની ઉંમર 30થી 45ની છે, જેમાં 283 વ્યક્તિની ઉંમર 18થી 30 વર્ષના છે. એક વર્ષમાં 49 સિનીયર સિટીઝનની હત્યા થઈ છે. સિનીયર સિટીઝનની હત્યા થઈ હોય તેમાં 36 પુરુષ અને 13 મહિલા છે.
સિનીયર સિટીઝન પર થયેલા ગુનાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વર્ષ 2022માં સિનીયર સિટીઝન સામે ગુનાની એક વર્ષની 238 જ્યારે સુરતમાં 33 ઘટના નોંધાઈ છે. અમદાવાદમાં 2020માં 709, 2021માં 244 જેટલા કેસ સિનીયર સિટીઝન સામે ગુનાના નોંધાયા હતા. વર્ષ 2022 પ્રમાણે આ પ્રકારના ગુનામાં અમદાવાદમાં ચાર્જ શીટ 87.70 ટકા સુરતમાં 97 ટકા છે. અમદાવાદમાં વર્ષ 2022માં 8 સિનીયર સિટીઝનની હત્યા થઈ છે, જ્યારે 37 ચોરી અને 10 લૂંટના શિકાર બન્યા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જણાવ્યા અનુસાર, ભારતમાં 2022માં હત્યાના કુલ 28522 કેસ નોંધાયા હતા. વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે રોજના 78 અને દર કલાકે 3 લોકોની હત્યા થઇ છે. એનસીઆરબીએ અગાઉ 2021માં 29272 જ્યારે 2020માં 29193 હત્યાના કેસ નોંધાયેલા હોવાની જાણકારી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંર્તગત કામ કરતા એનસીઆરબીએ નોંધ્યું છે કે 2022માં 9962 જેટલી હત્યાઓનું કારણ વિવાદ રહ્યો છે.
3761 હત્યાઓ અંગત દુશ્મની જ્યારે 1884 હત્યાઓ કોઇ લાભ મેળવવાની ગણતરીથી થયેલી છે. હત્યા સંબંધી કેસોના પીડિતોમાં 8125 મહિલાઓ અને 9 થર્ડ જેન્ડર હતા. દેશમાં પ્રતિ લાખ વસ્તીએ હત્યાનું પ્રમાણ 2.1 જેટલું હતું જયારે આરોપપત્ર દાખલ કરવાનો દર 81.5 હતું. માહિતી અનુસાર રાજયોમાં સૌથી હત્યાઓ અને પ્રાથમિક ફરિયાદ ઉત્તરપ્રદેશમાં નોંધાયેલી છે. યુપીમાં સૌથી વધુ 3491, બિહારમાં 2930, મહારાષ્ટ્રમાં 2295, મધ્યપ્રદેશમાં 1978 અને રાજસ્થાનમાં 1834 ફરિયાદો નોંધાયેલી છે. દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે તેમાં સિક્કિમ 9, નાગાલેંડ 21, મિઝોરમ 31, ગોવા 44 અને મણીપુર 47નો સમાવેશ થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજધાની દિલ્હીમાં 509 કેસ નોંધાયા હતા.
Related Articles
નવસારીમાં પૂર્ણા નદીએ વેર્યો વિનાશ, 10 ફૂટ સુધી પાણી, હોસ્પિટલો ખાલી કરાઈ
નવસારીમાં પૂર્ણા નદીએ વેર્યો વિનાશ, 10 ફ...
તાપીમાં ધોધમાર વરસાદ બાદ નદીઓએ ધારણ કર્યું રૌદ્ર રૂપ, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
તાપીમાં ધોધમાર વરસાદ બાદ નદીઓએ ધારણ કર્ય...
Jul 26, 2024
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો, 46 જળાશયો છલકાતા એલર્ટ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 5...
Jul 25, 2024
દીવ જઇ રહેલી બસને તળાજા હાઇવે પર નડ્યો અકસ્માત, કંડક્ટરનું મોત, 5 મુસાફરોને ઇજા
દીવ જઇ રહેલી બસને તળાજા હાઇવે પર નડ્યો અ...
Jul 25, 2024
વરસાદની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 13 ઈંચ ખાબક્યો, 300 રોડ બંધ, જનજીવન અસ્ત-વ્યસ્ત
વરસાદની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 13 ઈંચ...
Jul 25, 2024
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદઃ ઉમરપાડામાં 11 અને પલસાણામાં 10 ઇંચ
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદઃ ઉમરપા...
Jul 24, 2024
Trending NEWS
26 July, 2024
26 July, 2024
26 July, 2024
25 July, 2024
25 July, 2024
25 July, 2024
25 July, 2024
25 July, 2024
24 July, 2024
24 July, 2024
Jul 26, 2024