Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

BMCમાં મોટો 'ખેલ' થઈ જશે! મેયર અંગે ઉદ્ધવ જૂથના દાવાએ ભાજપ-શિંદે સેનાનું ટેન્શન વધાર્યું

January 20, 2026

દેશની સૌથી મોટી અને ધનિક નગરપાલિકા BMCની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે અને મહાયુતિ ગઠબંધને બહુમતીનો આંકડો પણ પાર કરી લીધો છે. તેમ છતાં, મુંબઈના મેયર પદની રેસમાં હવે એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના (UBT) એ દાવો કર્યો છે કે વિપક્ષ બહુમતીથી માત્ર 6 બેઠકો જ દૂર છે અને મુંબઈના રાજકારણમાં ગમે ત્યારે 'ખેલ' થઈ શકે છે.

શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે આ દાવા સાથે રાજકીય ગરમાવો વધારી દીધો છે. તેમના કહેવા મુજબ, વિપક્ષ પાસે હાલમાં 108 બેઠકો છે અને મેયર બનાવવા માટે જરૂરી 114ના આંકડા સુધી પહોંચવા માટે માત્ર 6 કોર્પોરેટરોના સમર્થનની જરૂર છે. સંજય રાઉતે કહ્યું, "અમારી પાસે અત્યારે 108 બેઠકો છે. લક્ષ્ય 114નું છે. અમે માત્ર 6 બેઠકોથી પાછળ છીએ. મુંબઈના રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે."

શું છે BMCમાં સત્તાનું ગણિત?
227 બેઠકોવાળી BMCમાં મેયર બનાવવા માટે 114 કોર્પોરેટરોના સમર્થનની જરૂર છે. ચૂંટણી પરિણામો અનુસાર:
મહાયુતિ ગઠબંધન: ભાજપ (89 બેઠકો) અને એકનાથ શિંદેની શિવસેના (29 બેઠકો) મળીને કુલ 118 બેઠકો ધરાવે છે, જે બહુમતીના આંકડા કરતાં 4 વધુ છે.