કર્ણાટકમાં નદીમાં ડૂબતી બાળકીનો જીવ બચી ગયો, પણ તેને બચાવવા કૂદેલા 5 યુવકોના મોત
June 01, 2026
કર્ણાટકના મંત્રાલયમ વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક અને માતમી સમાચાર સામે આવ્યા છે. અહીં વહેતી તુંગભદ્રા નદીના કિનારે શનિવારે સાંજે આશરે સાડા ચાર વાગ્યે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નદીના તેજ પ્રવાહમાં વહી રહેલી એક સગીર બાળકીને બચાવવાના ચક્કરમાં પાંચ લોકોએ પોતાની જાન ગુમાવવી પડી છે. જે બાળકી માટે આ લોકોએ પોતાના જીવની બાજી લગાવી હતી તે તો સુરક્ષિત બહાર આવી ગઈ છે, પરંતુ આ બહાદુર યુવકો નદીના ઊંડા પાણી અને તેજ પ્રવાહનો શિકાર બની ગયા છે.
મળતી માહિતી અનુસાર, શનિવારે સાંજે તુંગભદ્રા નદીના કિનારે લોકોની અવરજવર હતી. આ દરમિયાન એક સગીર વયની બાળકી નદીના કિનારે પોતાના પગ ધોઈ રહી હતી. અચાનક તેનું સંતુલન બગડતાં તે લપસીને નદીના ઊંડા પાણીમાં પડી ગઈ હતી અને જોતજોતામાં નદીના તેજ પ્રવાહમાં વહેવા લાગી હતી. બાળકીને ડૂબતી જોઈને કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. બાળકીનો જીવ જોખમમાં જોઈને ત્યાં હાજર લોકો પાસે વિચારવાનો બિલકુલ સમય નહોતો. તેને બચાવવા માટે પહેલા એક વ્યક્તિએ નદીમાં છલાંગ લગાવી હતી. ત્યારબાદ તેને સહકાર આપવા અને બાળકીને ખેંચવા માટે બીજો, ત્રીજો એમ જોતજોતામાં કુલ પાંચ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યા હતા. આ લોકોની ભારે જહેમત બાદ બાળકીને તો સહીસલામત નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી, પરંતુ નદીનો તેજ પ્રવાહ આ પાંચેય લોકો પર ભારે પડી ગયો હતો. નદીના ઊંડાણ અને જોરદાર કરંટમાં ફસાઈ જવાને કારણે પાંચેય જણા પાણીમાં લાપતા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાઈ જતાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા હતા અને પીડિત પરિવારોમાં ભારે ચીસાચીસ અને રૂદન મચી ગયું હતું. સ્થાનિક પોલીસે જણાવ્યું કે મૃતક યુવકો નજીકના ગામના જ રહેવાસી હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક અસરથી એસડીઆરએફ (SDRF) ની ટીમોને બોલાવીને નદીમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, શનિવારે સાંજે તુંગભદ્રા નદીના કિનારે લોકોની અવરજવર હતી. આ દરમિયાન એક સગીર વયની બાળકી નદીના કિનારે પોતાના પગ ધોઈ રહી હતી. અચાનક તેનું સંતુલન બગડતાં તે લપસીને નદીના ઊંડા પાણીમાં પડી ગઈ હતી અને જોતજોતામાં નદીના તેજ પ્રવાહમાં વહેવા લાગી હતી. બાળકીને ડૂબતી જોઈને કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. બાળકીનો જીવ જોખમમાં જોઈને ત્યાં હાજર લોકો પાસે વિચારવાનો બિલકુલ સમય નહોતો. તેને બચાવવા માટે પહેલા એક વ્યક્તિએ નદીમાં છલાંગ લગાવી હતી. ત્યારબાદ તેને સહકાર આપવા અને બાળકીને ખેંચવા માટે બીજો, ત્રીજો એમ જોતજોતામાં કુલ પાંચ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં કૂદી પડ્યા હતા. આ લોકોની ભારે જહેમત બાદ બાળકીને તો સહીસલામત નદીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી, પરંતુ નદીનો તેજ પ્રવાહ આ પાંચેય લોકો પર ભારે પડી ગયો હતો. નદીના ઊંડાણ અને જોરદાર કરંટમાં ફસાઈ જવાને કારણે પાંચેય જણા પાણીમાં લાપતા થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાઈ જતાં આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા હતા અને પીડિત પરિવારોમાં ભારે ચીસાચીસ અને રૂદન મચી ગયું હતું. સ્થાનિક પોલીસે જણાવ્યું કે મૃતક યુવકો નજીકના ગામના જ રહેવાસી હતા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક અસરથી એસડીઆરએફ (SDRF) ની ટીમોને બોલાવીને નદીમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
Related Articles
3 દીકરીઓ ભેગી માતાએ ઝેર ગટગટાવતા ચારેયના મોત, મધ્યપ્રદેશની હચમચાવતી ઘટના
3 દીકરીઓ ભેગી માતાએ ઝેર ગટગટાવતા ચારેયના...
Jun 01, 2026
મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી
મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અ...
Jun 01, 2026
મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ
મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક,...
Jun 01, 2026
ભારત-નેપાળ સરહદ વિવાદમાં નવો વળાંક: PM બાલેન શાહનો બ્રિટનને વચ્ચે લાવવાનો પ્રસ્તાવ
ભારત-નેપાળ સરહદ વિવાદમાં નવો વળાંક: PM બ...
May 31, 2026
મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી
મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અ...
May 31, 2026
સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીણ હત્યા કરનારા અસદનું એન્કાઉન્ટર!
સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્...
May 31, 2026
Trending NEWS
મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી...
01 June, 2026
આવતીકાલથી ગુજરાતમાં ‘વસ્તી ગણતરી-2027’નો પ્રારંભ:...
01 June, 2026