Breaking News :
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે ચોમાસું મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ

અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

June 24, 2026

ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત અલીગંજ વિસ્તારમાં 22 જૂનના રોજ એક એનિમેશન કોચિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા હતા, જેને લઈને હવે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ગેરકાયદે બિલ્ડિંગના માલિક વિરેન્દ્ર શુક્લા સહિત ચાર આરોપીઓને પકડીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નિયમોનો ભંગ કરીને બનાવેલી આ ઇમારતને તોડી પાડવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસે બિલ્ડિંગના મુખ્ય માલિક વિરેન્દ્ર શુક્લાની ધરપકડ કરીને તેને મંગળવારે મોડી રાત્રે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ધરપકડ અને જેલથી બચવા માટે આરોપીએ છાતીમાં દુખાવો અને હૃદયની બીમારીનું બહાનું બનાવ્યું હતું. જોકે, ડોક્ટરોની કડક તપાસમાં તે સંપૂર્ણપણે ફિટ સાબિત થતાં કોર્ટે તેને 14 દિવસની કસ્ટડીમાં જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. વિરેન્દ્ર શુક્લા ઉપરાંત એનિમેશન અને ગેમિંગ ઝોન ચલાવતા તુશાંક કૃષ્ણ જયસ્વાલ, પેટ ક્લિનિક સંચાલક રામકૃષ્ણ ઉપાધ્યાય અને ઇમારતમાં નેટવર્કિંગનું કામ કરતા સુરેશ કુમારની પણ ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

તપાસમાં મોટો ખુલાસો થયો છે કે આ 4 માળની બિલ્ડિંગને માત્ર રહેણાંક ઉપયોગ માટે જ મંજૂરી મળી હતી, છતાં ત્યાં નિયમો વિરુદ્ધ જઈને કોચિંગ સેન્ટર, એનિમેશન સ્ટુડિયો, લાઇબ્રેરી અને પેટ ક્લિનિક જેવી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. ઇમારતમાં કટોકટીના સમયે બહાર નીકળવા માટે કોઈ ઈમરજન્સી દરવાજો ન હતો. આખી બિલ્ડિંગમાં આવવા-જવા માટે માત્ર એક જ સાંકડો રસ્તો હતો અને આગ લાગે ત્યારે ધુમાડો બહાર નીકળી શકે તેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોના ગૂંગળામણથી મોત થયા હોવાની આશંકા છે. આ ગંભીર ખામીઓ અને ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ બદલ ઓથોરિટીની ટીમે બિલ્ડિંગ માલિકો વિરેન્દ્ર શુક્લા અને સુરેન્દ્ર શુક્લાને નોટિસ ફટકારીને કડક કાર્યવાહી હાથ ધરી છે.