આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ
July 14, 2026
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. આંધ્ર પ્રદેશમાં કોરોના સંબંધિત મોત અને કેસોમાં થયેલા વધારાને પગલે ઓડિશા અને તમિલનાડુ જેવા રાજ્યો એલર્ટ થઈ ગયા છે. આરોગ્ય નિષ્ણાતોએ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોને તકેદારી રાખવાની અપીલ કરી છે. ખાસ કરીને આગામી સમયમાં યોજાનારી ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના શહેરોમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થાય છે, જેથી અહીં પણ સરકારે તેમજ નાગરિકોએ તકેદારી રાખવી જરૂરી છે.
તાજેતરના અહેવાલો અનુસાર, આંધ્ર પ્રદેશના કડપા જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે, જે પૈકી 2 દર્દીના શંકાસ્પદ મોત ભારે ચિંતા ફેલાઈ છે. આ પૈકી એક 46 વર્ષીય દર્દી શ્વાસની ગંભીર તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય અન્ય એક 52 વર્ષીય દર્દીનું પણ કોરોના અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધી અહીં 8 દર્દી કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે. આ ઘટના બાદ આંધ્ર પ્રદેશ આરોગ્ય વિભાગે તાત્કાલિક રેપિડ રિસ્પોન્સ ટીમ તહેનાત કરી છે અને તમામ હોસ્પિટલોને આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવા આદેશ આપ્યા છે.
આંધ્ર પ્રદેશની સરહદને અડીને આવેલા ઓડિશામાં પ્રશાસન કડક મોનિટરિંગ કરી રહ્યું છે. ખાસ કરીને જગન્નાથ પુરીની રથયાત્રા પૂર્વે લાખોની સંખ્યામાં ભક્તો એકઠા થવાના હોવાથી તંત્ર કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતું નથી. ઓડિશાના ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલ્કાનગિરી જેવા સરહદી જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે.
ઓડિશાના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર રવીન્દ્રનાથ મિશ્રાએ જણાવ્યું છે કે, 'હાલ ઓડિશામાં કોરોનાનો કોઈ સક્રિય કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ ધરાવતા તમામ દર્દીઓ તેમજ શરદી-ખાંસીના લક્ષણો ધરાવતા ઓછામાં ઓછા 5% લોકોના કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયા છે.'
આંધ્ર પ્રદેશમાં કોરોનાના કેસો વધતાં તમિલનાડુના આરોગ્ય વિભાગે પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. તમિલનાડુ સરકારે લોકોને અપીલ કરી છે કે હાલ રાજ્યમાં કોરોનાનો કોઈ અત્યંત જોખમી વેરિયન્ટ સક્રિય હોવાના પુરાવા મળ્યા નથી, તેથી ગભરાવાની કે ગભરાટ ફેલાવવાની કોઈ જરૂર નથી. આરોગ્ય વિભાગે લોકોને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને લક્ષણો દેખાય તો તબીબી સલાહ લેવા જણાવ્યું છે.
Related Articles
દેશમાં મેઘતાંડવ : દિલ્હી-યુપી પાણીમાં, મહારાષ્ટ્ર-હરિયાણા બેહાલ અને હિમાચલ-ઉત્તરાખંડના પહાડો તૂટ્યા!
દેશમાં મેઘતાંડવ : દિલ્હી-યુપી પાણીમાં, મ...
Jul 10, 2026
વાયદા બજારમાં ફરી કડાકો, ઓલ ટાઈમ હાઈથી ચાંદી 2 લાખ તો સોનું 50,000 રૂપિયા સસ્તું
વાયદા બજારમાં ફરી કડાકો, ઓલ ટાઈમ હાઈથી ચ...
Jul 09, 2026
ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદનો દરિયો તોફાની બન્યો: બંદર પર 3 નંબરનું સિગ્નલ
ભારે વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદનો દરિય...
Jul 04, 2026
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે, અમેરિકાના વિદેશ મંત્રી રુબિયોની જાહેરાત
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાત...
Jun 27, 2026
NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી, ગાઝિયાબાદમાં રૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો
NEET ના વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી...
Jun 20, 2026
મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા
મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રે...
Jun 15, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026