Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

જૌનપુરમાં લક્ઝરી સ્લીપર બસ ટ્રેલર સાથે અથડાઈ, 4 લોકોના મોત, અનેક ઘાયલ

September 15, 2025

છત્તીસગઢથી ધાર્મિક સ્થળોએ દર્શન કરવા માટે જઈ રહેલી એક બસને યુપીના જૌનપુરમાં અકસ્માત નડ્યો. અયોધ્યાથી વારાણસી જઈ રહેલી આ લક્ઝરી સ્લીપર બસ લાઇન બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિહિપુર ક્રોસિંગ પાસે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેલર સાથે અથડાઈ હતી. શ્રદ્ધાળુઓ અયોધ્યાથી વારાણસી જઈ રહ્યા હતા અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે નવ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

બસમાં લગભગ 50 મુસાફરો હતા, જેમાંથી મોટાભાગના છત્તીસગઢના રહેવાસી હતા. આ બધા અયોધ્યાના દર્શન કર્યા પછી કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવા વારાણસી જઈ રહ્યા હતા. જિલ્લા એસપી ડૉ. કૌસ્તુભે જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત્રે  અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલોને વારાણસી રિફર કરવામાં આવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસે ટ્રેલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંતુલન ગુમાવવાને કારણે તે ટ્રેલરની જમણી બાજુ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો જમણો ભાગ ખરાબ રીતે નુકસાન પામ્યો અને ઘણા મુસાફરો સીટોમાં ફસાઈ ગયા. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા.