Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટી સાથે આવે તેવા સંકેત

June 07, 2025

મહારાષ્ટ્ર રાજનીતિ હાલ ચર્ચામાં છે. એક વખત ફરીથી જુના જોગીઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટી સાથે આવે તેવા સમાચાર વહેતા થયા છે. આ તમામ વચ્ચે શરદ પવારની પુત્રી અને  NCP (SP) સાંસદ સુપ્રિયા સુલેની પ્રતિક્રિયા સામે આવી છે. સુલેએ કહ્યુ કે લોકતંત્રમાં તમામને અધિકાર છે કે તેણે કોની સાથે જવુ જોઇએ કોની સાતે નહી. જેટલા પાર્ટનર મળશે મહાવિકાસ અઘાડી માટે એટલુ જ સારૂ થશે. એક સાથે મળીને મહારાષ્ટ્ર માટે કામ કરશે અને આ રીતે પાર્ટીની તાકાત વધશે. સારી વાત છેને કે બે ભાઇઓ એક સાથે આવશે. અમને રાજ ઠાકરે આવે તેનાથી કોઇ પરેશાની નથી.

આ પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ કહ્યુ હતુ કે મહારાષ્ટ્રના લોકોના દિલમાં જે છે તે જ થશે, આપણા શિવસૈનિકોના દિલમાં કોઇ ભ્રમ નથી. મનસેના કાર્યકર્તાઓના મનમાં પણ કોઇ ભ્રમ નથી. ઉદ્ધવના કાકાના દિકરા ભાઇ રાજ ઠાકરે પાર્ટી વચ્ચે ગઠબંધનની શક્યતા સેવાઇ રહી છે. ઠાકરે ભાઇઓ દ્વારા હાલમાં આપેલા નિવેદન બાદ નગર નિગમ ચૂંટણી પહેલા બંને વચ્ચે ગઠબંધનની શક્યતાની અટકળોએ જોર પકડ્યુ છે.

ઉદ્ધવે કહ્યુ કે એક બીજાના સંપર્કમાં છીએ. અમે સંદેશ નહી મોકલીએ, અમે સીધા સમાચાર આપીશુ. ઉદ્ધવે આ વાત ત્યારે કહી જ્યારે શિંદે સેના સ્થાનીય નેતા યૂબીટી સેના જોઇન કરી હતી. જો કે ઉદ્ધવે આ પ્રશ્નનો જવાબ ટાળી દીધો હતો. તેમને પુછવામા આવ્યુ હતુ કે શું પાર્ટી અને મનસે વચ્ચે ગઠબંધનની શક્યતા છે? રાજ ઠાકરેએ શિવસેના છોડી પછી 2006મા નવી પાર્ટી મનસેનું ગઠન કર્યુ હતુ.