ભારતીય ઋતુચક્ર અનુસાર આજથી વર્ષાઋતુ પૂર્ણ, શરદ ઋતુનો પ્રારંભ: હવે આહારમાં ફેરફાર કરવાનો સમય
August 23, 2025
ભારતીય પરંપરા અને વૈજ્ઞાનિક ઋતુચક્ર અનુસાર, આજે વર્ષાઋતુની સત્તાવાર રીતે પૂર્ણાહુતિ થઈ છે, અને શરદ ઋતુનો પ્રારંભ થયો છે. આજે દર્શ અમાસ પણ છે, જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે. જોકે, ક્લાઈમેટ ચેન્જના કારણે હવે શરદ ઋતુમાં પણ ક્યારેક ભારે વરસાદની સંભાવના રહે છે.
આયુર્વેદ કહે છે કે આ સમયે આપણા શરીરમાં 'પિત્ત' વધી જાય છે, જેને શાંત કરવો જરૂરી છે. આજે દર્શ અમાસ પણ છે, જેના કારણે આ દિવસનું મહત્ત્વ વધુ વધી ગયું છે. જોકે, ક્લાઈમેટ ચેન્જને કારણે હવે શરદ ઋતુમાં પણ ક્યારેક ભારે વરસાદની સંભાવના રહે છે.
શરદ ઋતુ એ ઉનાળા અને શિયાળાની વચ્ચેનો સમયગાળો છે. આયુર્વેદિક શાસ્ત્રો અનુસાર, આ ઋતુમાં પિત્ત પ્રકોપ વધે છે, એટલે કે શરીરની ગરમી વધી શકે છે. આ પિત્તને શાંત કરવા માટે ખાસ આહાર અને વિહારનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયગાળામાં ખીર, નારિયેળ પાણી અને અન્ય પિત્તશામક ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આયુર્વેદિક નિયમો મુજબ, આ ઋતુમાં ભોજનમાં સંતુલન જાળવવાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.
શરદ ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું?
શરદ ઋતુ એ ઉનાળા અને શિયાળા વચ્ચેનો સમય છે. આયુર્વેદ અનુસાર, આ ગરમી અને ઠંડીના મિશ્ર વાતાવરણમાં શરીરમાં પિત્ત (શરીરની ગરમી) વધી શકે છે. તેને કાબૂમાં રાખવા માટે:
શું ખાવું: દૂધ, ખીર, નારિયેળ પાણી, અને ઠંડક આપતા શાકભાજી તથા ફળોનું સેવન કરવું.
શું ન ખાવું: તીખો, તળેલો કે મસાલેદાર ખોરાક ઓછો ખાવો.
આયુર્વેદિક ડોક્ટરોનું કહેવું છે કે આ પ્રકારના આહારથી શરીરનું સંતુલન જળવાઈ રહે છે અને બીમારીઓથી બચી શકાય છે. આમ, આજે ઋતુ પરિવર્તન સાથે જ ધાર્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ એક નવા સમયગાળાનો આરંભ થયો છે.
Related Articles
હાર્ટ એટેકનું જોખમ 80% સુધી ઘટી જશે! નિષ્ણાતે જણાવી 5 સરળ ટિપ્સ
હાર્ટ એટેકનું જોખમ 80% સુધી ઘટી જશે! નિષ...
Oct 15, 2025
થાઇરોઇડની સમસ્યાથી દૂર રાખે છે ઉજ્જાયી પ્રાણાયામ
થાઇરોઇડની સમસ્યાથી દૂર રાખે છે ઉજ્જાયી પ...
Apr 15, 2025
Trending NEWS
25 February, 2026
25 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
24 February, 2026
23 February, 2026
23 February, 2026