હાર્ટ એટેકનું જોખમ 80% સુધી ઘટી જશે! નિષ્ણાતે જણાવી 5 સરળ ટિપ્સ
October 15, 2025
કેન્સરથી લઈને લિવર ફેલ જેવી જીવલેણ બીમારીઓ વચ્ચે આ દિવસોમાં લોકો હૃદયથી જોડાયેલી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. હૃદયથી જોડાયેલી સમસ્યા આજે દુનિયામાં મૃત્યુનું સૌથી મોટું કારણ બની ગઇ છે. આજ કાલ દરેક બીજી વ્યક્તિના મોઢે તમને હાર્ટ એટેકથી થયેલા મોત અંગેના સમાચાર તો સાંભળવા મળશે જ. એવું માનવામાં આવે છે કે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકને રોકવું ખૂબ જ મુશ્કેલ હોય છે, પણ સારા સમાચાર એ છે કે વર્લ્ડ હાર્ટ ફેડરેશનના અનુસાર, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારી 80 ટકા રોકી શકાય છે.
જો તમે એવું વિચાર કરશો કે પોતાની ઘણી આદત બદલવાની જરૂર છે, પણ એવું બિલકુલ પણ નથી. સૌથી સારી વાત એ છે કે હ્રદયને સ્વસ્થ રાખવા માટે તમને આખું જીવન બદલવાની જરૂર નથી. ક્યારેક-ક્યારેક નાની -નાની આદતો પણ તમારા હ્રદયને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મોટો પ્રભાવ રાખી શકે છે. અમેરિકાના એક્સપર્ટ, જૈસે ડો. વાસે લોકોને અમુક સરળ પણ અસરકારક આદતોને કેળવવાની સલાહ આપી છે. આ સલાહનું પાલન કરીને તમે તમારા જીવનમાં હ્રદયને સ્વસ્થ રાખી શકો છો. ચાલો જાણીએ એવી 5 આદતો વિશે.
જમ્યા પછી ચાલવું જોઈએ
રોજ રાત્રે ભોજન ગ્રહણ કર્યા બાદ તરત બેસવાની ભૂલ નહીં કરતા. તેની જગ્યાએ રોજ 10-15 મિનિટ ચાલવાની આદત રાખો. રિસર્ચ પ્રમાણે જમ્યા પછી થોડું ચાલવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને હ્રદય પર દબાણ ઓછું પડે છે. દિવસમાં ઘણી વાર થોડું-થોડું ચાલવું જોઈએ.
ઓમેગા-3થી ભરપૂર આહારનું કરો સેવન
ઓમેગા-3 ફેટી એસિડ હૃદય માટે ખૂબ ફાયદાકારક હોય છે. પરંતુ તેલની ગોળીઓ લેવાની જગ્યાએ, ઓમેગા-3થી સમૃદ્ધ ખોરાક ખાવું વધુ લાભદાયી છે અખરોટ, અલસી (ફ્લેક્સ સીડ્સ) અથવા ચિયા સીડ્સને તમારા અઠવાડિયાના આહારમાં જરૂર સામેલ કરો. ઓમેગા-3 લોહીમાં ખરાબ ફેટને ઘટાડે છે અને ધમનીઓમાં બ્લોકેજ થવાથી બચાવે છે.
સારી ઊંઘને મહત્ત્વ આપો
હ્રદયને સ્વસ્થ રાખવા માટે સારી ઊંઘ અત્યંત જરૂરી છે. જે લોકો દરરોજ છ કલાકથી ઓછી ઊંઘ લે છે, તેમને હૃદયની બીમારીઓનો જોખમ વધુ રહે છે. ઊંડી ઊંઘ લોહીનું દબાણ (બ્લડ પ્રેશર) કાબૂમાં રાખે છે અને ધમનીઓને આરામ આપે છે. તેથી દરરોજ એક જ સમયે સૂવાનો પ્રયાસ કરો, રૂમમાં અંધારું રાખો અને સૂતાં પહેલાં મોબાઇલ કે ટીવી ન જુઓ.
પ્લાસ્ટિકની જગ્યાએ કાચ અથવા સ્ટીલની બોટલનો ઉપયોગ કરો
પ્લાસ્ટિકની બોટલ અને ડબ્બામાં રહેલા BPA જેવા કેમિકલ્સ હોર્મોનનું સંતુલન બગાડી શકે છે અને હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. તેથી પાણી માટે કાચ અથવા સ્ટીલની બોટલ વાપરો અને પ્લાસ્ટિકના વાસણોમાં ખોરાક ગરમ કરવાનું ટાળો. આ નાનું પગલું તમારા હૃદય અને પર્યાવરણ બંને માટે સારું છે.
નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો
ઘણીવાર હૃદયની બીમારીઓ ધીમે ધીમે વધે છે અને સમયસર ખબર પડતી નથી. તેથી બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની તપાસ વર્ષમાં એક કે બે વાર જરૂર કરાવો. જો તમારા પરિવારના કોઈ સભ્યને પહેલેથી હૃદયની બીમારી છે, તો આ ટેસ્ટ ખાસ કરીને કરાવવા જોઈએ. સમયસર તપાસ કરાવવાથી તમે જરૂરી બદલાવ કરી શકો છો અને મોટી મુશ્કેલીથી બચી શકો છો.
Related Articles
ભારતીય ઋતુચક્ર અનુસાર આજથી વર્ષાઋતુ પૂર્ણ, શરદ ઋતુનો પ્રારંભ: હવે આહારમાં ફેરફાર કરવાનો સમય
ભારતીય ઋતુચક્ર અનુસાર આજથી વર્ષાઋતુ પૂર્...
Aug 23, 2025
થાઇરોઇડની સમસ્યાથી દૂર રાખે છે ઉજ્જાયી પ્રાણાયામ
થાઇરોઇડની સમસ્યાથી દૂર રાખે છે ઉજ્જાયી પ...
Apr 15, 2025
Trending NEWS
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026