અજિત પવાર પ્લેન ક્રેશ: આવતીકાલે અંતિમ સંસ્કાર, ફડણવીસ અને શિંદે બારામતી પહોંચ્યા
January 28, 2026
મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારનું બુધવારે (28 જાન્યુઆરી) સવારે એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે 11 વાગ્યે બારામતી ખાતે કરવામાં આવશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પહેલેથી જ બારામતી પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થવા બારામતી જાય તેવી પ્રબળ શક્યતા છે.
અજિત પવાર પોતાના ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈથી બારામતી આવી રહ્યા હતા. સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. લેન્ડિંગ સમયે વિમાન સંતુલન ખોઈ બેઠું અને જોરદાર ધડાકા સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં બે પાયલોટ, એક પીએસઓ અને એક અટેન્ડન્ટનો સમાવેશ થાય છે.
Related Articles
એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા... જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ
એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા......
Jan 28, 2026
દિલ્હીમાં ચાર વર્ષ પછી જાન્યુઆરીમાં સૌથી વધુ વરસાદ, રેકોર્ડ તૂટ્યો
દિલ્હીમાં ચાર વર્ષ પછી જાન્યુઆરીમાં સૌથી...
Jan 28, 2026
વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145 દેશોમાં ભારત ચોથા ક્રમે, પાકિસ્તાન પછડાયું
વિશ્વમાં સૈન્ય મામલે સૌથી શક્તિશાળી 145...
Jan 28, 2026
ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત 5 લોકોના મોત : DGCA
ઉપમુખ્યમંત્રી અજિત પવાર સહિત 5 લોકોના મો...
Jan 28, 2026
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી,...
Jan 27, 2026
યુરોપની કાર, વાઈન-બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે, ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ
યુરોપની કાર, વાઈન-બિયર અને મેડિકલ સાધનો...
Jan 27, 2026
Trending NEWS
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026
27 January, 2026