આસ્થા પર હુમલો: જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેય શિખર પર વિવાદ મામલે સંતોમાં આક્રોશ
October 02, 2023

જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેય શિખર પર વિવાદ મામલે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. તેમજ દતાત્રેય શિખરના મહંત મહેશગીરી હાલ દિલ્હીમાં છે. જેમાં મહંત મહેશગીરીના આવ્યા બાદ નિર્ણય લેવાશે. તથા હાલ સાધુ સંતોનો બોલવાનો ઇનકાર છે. શિખર પર દિગમ્બર જૈન સંઘ દ્વારા હુમલાનો આરોપ છે.
સેવકોએ સીધો આરોપ જૈન સંઘના લોકો પર લગાવ્યો છે. શિખર પર ધર્મસ્થાન પર આ હોબાળો થયો હોવાનુ કહેવામાં આવ્યુ છે. ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. દત્તાત્રેય શિખર ગિરનાર પર્વત પર આવેલ છે. અહીં પૂનમ ભરવાને લઈ ખૂબ જ મહત્વ છે. પૂનમે ભક્તો મોટી સંખ્યામાં અહીં ગિરનાર ચઢીને દર્શને આવતા હોય છે.
ઉલ્લેખનીય છે કે 200થી વધુ લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગુરૂ દત્તાત્રેયના સેવકે પોલીસને અરજી આપી હતી. ત્યારે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. શિખર પર દિગમ્બર જૈન સંઘ દ્વારા 200થી વધુ લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કરી ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાએ ખુરશી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જય નેમિનાથના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે ગુરુ દત્તાત્રેયના સેવકે પોલીસને અરજી આપી છે.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025