અમદાવાદમાં બાબા બાગેશ્વરનો કાર્યક્રમ રદ, રાજકોટમાં વિરોધ શરૂ

May 29, 2023

અમદાવાદમાં દિવ્ય દરબારનું આયોજન થશે નહિ. જેમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર રદ્દ થયો છે. તેમાં ઓગણજમાં યોજાનાર 29-30 તારીખનો કાર્યક્રમ રદ થયો છે. ભારે વરસાદને કારણે નિર્ણય લેવાયો છે. જેમાં બાબા બાગેશ્વરના દરબારમાં વરસાદ વિઘ્ન બન્યો છે.

ઓગણજ રીંગ રોડ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો હતો. જેમાં ગઈકાલે વરસેલા વરસાદથી ગ્રાઉન્ડ પાણી-પાણી થયુ છે. આજે દરબાર છતા વરસાદના કારણે કોઈ તૈયારી કરવામાં આવી ન હતી. જેમાં આજે અને આવતીકાલે દિવ્ય દરબારનું આયોજન થયુ હતુ જે રદ કરવામાં આવ્યુ છે. જેમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને ભક્તો પહોચ્યા છે. તથા રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા વિરોધ થયો છે. જેમાં અજાણ્યા શખ્સોએ ધીરેન્દ્ર શાસ્ત્રીના બેનરો ફાડ્યા છે.