વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો :મોદીની નેતાઓને ટકોર

May 25, 2025

એનડીએના મુખ્યમંત્રીઓનો કોન્ક્લેવમાં બે પ્રસ્તાવ પસાર કરાયા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજધાની દિલ્હીમાં આજે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ની બેઠક યોજાઈ હતી, જેમાં એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ ઓપરેશન સિંદૂરમાં સેનાના પરાક્રમ અને પીએમ મોદીના સાહસી નેતૃત્વની પ્રશંસા કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ મુદ્દે માહિતી આપી હતી.


નડ્ડાએ કહ્યું કે, આજે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએના મુખ્યમંત્રીઓનો કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં બે પ્રસ્તાવ પસાર કરાયા છે. બેઠકમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની વિરતા અને વડાપ્રધાન મોદીના સાહસી નેતૃત્વની પંશંસા કરતો પ્રસ્તાવ પસાર કરાયો છે. બેઠકમાં ‘જાતિ વસ્તી ગણતરી’ની પણ ચર્ચા કરવામાં આવી છે. બેઠક દરમિયાન કેન્દ્ર સરકારે જાતિ વસ્તી ગણતરી પર લીધેલા નિર્ણયની પ્રશંસા કરાઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પાર્ટીના નેતાઓને કેટલીક મહત્ત્વની સલાહ પણ આપી છે.