'ધનખડે લિમિટ ક્રોસ કરી હતી', ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં બાદ ચિદમ્બરમનો ચોંકાવનારો દાવો
July 23, 2025

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે આ મુદ્દે લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સરકાર સાથે જોડાયેલા લોકો તરફથી હાલ સીધી પ્રતિક્રિયા સામે આવી રહી છે તો બીજી બાજું વિપક્ષ એકદમ આક્રામક મૂડમાં છે. આ સંદર્ભે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે એક અલગ થિયરી આપી છે. એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, જગદીપ ધનખડને એટલે રાજીનામું આપ્યું કારણ કે, તેમણે પોતાની હદ વટાવી દીધી હતી. એવામાં સરકાર સાથે સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ હતી.
ચિદમ્બરમે કહ્યું કે, 'જસ્ટિસ યશવંત વર્મા સામેના પ્રસ્તાવને સ્વીકાર કર્યા બાદ કદાચ ધનખડે સરકાર સાથે પોતાના સંબંધો બગાડી દીધા હતા. ધનખડ અને સરકાર એક પોઇન્ટ પર આવીને અસંમત હતા. જ્યારે સરકારે તેમના પરથી વિશ્વાસ ગુમાવી દીધો એટલે તેમને પદ છોડી દેવું પડ્યું. રાજ્યસભામાં સત્તાવાર રીતે રાજીનામાંની જાહેરાત એ વાતનો સંકેત છે કે, સરકાર અને ધનખડ વચ્ચેનું આપસી સન્માન સંપૂર્ણ રૂપે ખતમ થઈ ચુક્યું છે.'
એટલું જ નહીં, ચિદમ્બરમે તો એ પણ કહ્યું કે, 'છેલ્લાં એક વર્ષથી ધનખડ ન્યાયપાલિકા સાથે જોડાયેલા મુદ્દા પર સરકાર સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. આ સરકાર ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી કોઈ તેમની લાઇન પર ચાલતું રહે. પરંતુ, જેવું કોઈ પોતાનું મંતવ્યુ મૂકે છે કે, તુરંત સમર્થન પાછું ખેંચી લે છે.' જોકે, ચિદમ્બરમે એવી પણ સ્પષ્ટતા કરી કે, એવું નથી કે હું એવું કહું છું કે, તેમની સાથે આ જ બન્યું છે પરંતુ, કંઇક તો જરૂર બન્યું છે.
Related Articles
12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે પ્રત્યાર્પણ! ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી
12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે...
Sep 08, 2025
'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર...', સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણ...
Sep 08, 2025
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા...
Sep 08, 2025
પંજાબમાં પૂરથી તબાહી, અત્યાર સુધીમાં 46 લોકોનાં મોત, PM મોદી લેશે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
પંજાબમાં પૂરથી તબાહી, અત્યાર સુધીમાં 46...
Sep 08, 2025
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના-આતંકી અથડામણ, અધિકારી સહિત 3 જવાન ઇજાગ્રસ્ત
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના-આતંકી અથડ...
Sep 08, 2025
લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડોના કિંમતી સોનાના કળશની ચોરીનો પર્દાફાશ
લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડોના કિંમતી સ...
Sep 08, 2025
Trending NEWS

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

07 September, 2025

07 September, 2025

07 September, 2025