પાકિસ્તાનના દક્ષિણ વજિરિસ્તાનમાં શાંતિ બેઠક દરમિયાન વિસ્ફોટ, 7 લોકોના મોત
April 29, 2025

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સોમવારે શાંતિ સમિતિના કાર્યાલયમાં મોટો વિસ્ફોટ થયો છે. આ શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ દક્ષિણ વજિરિસ્તાન જિલ્લાના મુખ્ય મથક વાનામાં સ્થાનિક શાંતિ સમિતિના કાર્યાલયમાં થયો હતો. જો કે હજુ સુધી કોઈ જૂથે વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઓફિસની ઈમારત પણ ધરાશાયી થઈ ગઈ છે અને ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. ઘટના અંગેની માહિતી મળતાં જ બચાવ ટીમો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા છે અને કાટમાળમાંથી ઘાયલોને બચાવવાની કામગીરી શરૂ કરી છે.
આ દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળોએ સોમવારે કાર્યવાહી કરી અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના 17 અન્ય લડવૈયાઓને ઠાર માર્યા છે. આ સાથે છેલ્લા ત્રણ દિવસમાં માર્યા ગયેલા લડવૈયાઓની સંખ્યા વધીને 71 થઈ ગઈ છે. આ કાર્યવાહી ઉત્તર વઝીરિસ્તાનમાં કરવામાં આવી હતી.
Related Articles
અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો - સેના
અમે 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો -...
May 11, 2025
હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવાયો 'સ્પેશિયલ ઝોન
હવે ગોવાના વિવિધ બીચ પર મહિલાઓ માટે બનાવ...
May 11, 2025
પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવાખોરો, બલૂચિસ્તાનમાં 39 ઠેકાણે કર્યા હુમલા
પાકિસ્તાન માટે માથાનો દુઃખાવો બન્યા બળવા...
May 11, 2025
પાક.ના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધિકારી સહિત છનાં મોત
પાક.ના તોપમારામાં એક મેજર શહીદ, આઇએએસ અધ...
May 11, 2025
અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દિવસના હંગામી જામીન કર્યા મંજૂર
અકસ્માત કેસ: ગુજરાત હાઈકોર્ટે તથ્યના 7 દ...
May 11, 2025
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણ...
May 11, 2025
Trending NEWS

10 May, 2025