ગઝની, લોદી બધા હિન્દુસ્તાની લુંટારું હતા...', પૂર્વ ઉપ રાષ્ટ્રપતિના નિવેદન પર હોબાળો
January 30, 2026
દિલ્હી - દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે કહ્યું છે કે ગઝ્નવી/ગઝની અને લોદી હિન્દુસ્તાની લૂંટારા હતા. તેઓ બહારથી આવ્યા ન હતા. રાજનૈતિક સુવિધાને ધ્યાનમાં રાખીને લોકો કહે છે કે તેમણે આ તોડી નાખ્યું, તે તોડી નાખ્યું, બધા હિન્દુસ્તાની જ હતા. ભાજપે હામીદ અંસારીના નિવેદન પર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, શરજીલ ઈમામ અને ઉમર ખાલીદને યુવા નેતા કહેવાય વાળા હામીદ અંસારીએ હવે સોમનાથ મંદિર તોડનારા ગઝનીના વખાણ કર્યા છે.
ભાજપે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીના મધ્યકાળના શાસકો મહમૂદ ગઝ્નવી/ગઝની અને લોદી વંશ અંગે આપેલા નિવેદન પર કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ઈતિહાસને નવા રંગ રૂપમાં રજૂ કરી રહ્યું છે. હિન્દુ ધાર્મિક સ્થળો પર થયેલા હુમલાને ઓછા દેખાડવાની કોશિશ કરી રહ્યું છે. ભાજપ પ્રવક્તા શહજાદ પુનાવાલાએ કહ્યું કે, અંસારીની ટિપ્પણી કોઈ અલગ ઘટના નથી, પણ એ પેટર્નનો હિસ્સો છે જેમાં કોંગ્રેસથી જોડાયેલા લોકો વારંવાર ભારતના મધ્યકાળના ઈતિહાસને સાફ સુથરો દેખાડવાનો પ્રયાસ કરે છે. 'શરજીલ ઈમામ અને ઉમર ખાલિદને યુવા નેતાઓ ગણાવ્યા પછી, હવે કોંગ્રેસ ઇકોસિસ્ટમ અને હામિદ અંસારી મહમૂદ ગઝનવી જેવા શાસકનું મહિમા મંડન કરી રહ્યા છે, જેમણે સોમનાથ મંદિરને નષ્ટ અને અપવિત્ર કર્યું.'
ભાજપે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ રાજનૈતિક એજન્ડા માટે વારંવાર મધ્યકાળના ઈતિહાસને પોતાની રીતે વ્યાખ્યાઈત કરી રહ્યું છે, કોંગ્રેસ ઈકોસિસ્ટમ ગઝનવીનું ગુણગાન કરે છે. સોમનાથ સ્વાભિમાન પર્વનો વિરોધ કરે છે અને ઔરંગઝેબ જેવા શાસકો દ્વારા હિન્દુઓ પર કરેલા અત્યાચારોને સારી રીતે ચીતરવાની કોશિશ કરે છે. મહત્વનું છે કે દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ટિપ્પણી કરી હતી કે લોદી અને ગઝનવી ભારતીય લૂંટારા હતા, તે બહારથી આવ્યા ન હતા. તેમણે વિદેશી કહેવાય રાજનૈતિક રૂપે સુવિધાજનક હોઈ શકે, પણ તે વિદેશી ન હતા'
ભાજપે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીના મધ્યકાળના શાસકો મહમૂદ ગઝ્નવી/ગઝની અને લોદી વંશ અંગે આપેલા નિવેદન પર કોંગ્રેસ પર તીખો હુમલો કર્યો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ઈતિહાસને નવા રંગ રૂપમાં રજૂ કરી રહ્યું છે. હિન્દુ ધાર્મિક સ્થળો પર થયેલા હુમલાને ઓછા દેખાડવાની કોશિશ કરી રહ્યું છે. ભાજપ પ્રવક્તા શહજાદ પુનાવાલાએ કહ્યું કે, અંસારીની ટિપ્પણી કોઈ અલગ ઘટના નથી, પણ એ પેટર્નનો હિસ્સો છે જેમાં કોંગ્રેસથી જોડાયેલા લોકો વારંવાર ભારતના મધ્યકાળના ઈતિહાસને સાફ સુથરો દેખાડવાનો પ્રયાસ કરે છે. 'શરજીલ ઈમામ અને ઉમર ખાલિદને યુવા નેતાઓ ગણાવ્યા પછી, હવે કોંગ્રેસ ઇકોસિસ્ટમ અને હામિદ અંસારી મહમૂદ ગઝનવી જેવા શાસકનું મહિમા મંડન કરી રહ્યા છે, જેમણે સોમનાથ મંદિરને નષ્ટ અને અપવિત્ર કર્યું.'
ભાજપે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસ રાજનૈતિક એજન્ડા માટે વારંવાર મધ્યકાળના ઈતિહાસને પોતાની રીતે વ્યાખ્યાઈત કરી રહ્યું છે, કોંગ્રેસ ઈકોસિસ્ટમ ગઝનવીનું ગુણગાન કરે છે. સોમનાથ સ્વાભિમાન પર્વનો વિરોધ કરે છે અને ઔરંગઝેબ જેવા શાસકો દ્વારા હિન્દુઓ પર કરેલા અત્યાચારોને સારી રીતે ચીતરવાની કોશિશ કરે છે. મહત્વનું છે કે દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ ટિપ્પણી કરી હતી કે લોદી અને ગઝનવી ભારતીય લૂંટારા હતા, તે બહારથી આવ્યા ન હતા. તેમણે વિદેશી કહેવાય રાજનૈતિક રૂપે સુવિધાજનક હોઈ શકે, પણ તે વિદેશી ન હતા'
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026