કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન
April 22, 2026
આજે 22 એપ્રિલના રોજ વહેલી સવારે 8 વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હજારો શ્રદ્ધાળુઓ બાબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જેમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં સામેલ હતા. આ દરમિયાન વડોદરાના એક ટૂર ઓપરેટરના પિતા દિલીપભાઈ માળીનું કેદારનાથ ધામમાં હાર્ટ એટેક આવવાને કારણે કરૂણ મોત નીપજ્યું છે. દર્શનના પ્રથમ દિવસે જ બનેલી આ ઘટનાથી અન્ય યાત્રિકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
આ ઘટના બાદ મૃતક દિલીપભાઈના પુત્ર અને ટૂર ઓપરેટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં તેઓ અત્યંત વ્યથિત જણાઈ રહ્યા છે અને સ્થાનિક પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે, તેમણે સ્થાનિક તંત્ર પાસે મદદ માંગી, પરંતુ સમયસર કોઈ સહાય ન મળી.
કેદારનાથ જેવી ઊંચાઈવાળી જગ્યાએ ઓક્સિજનની કમી અને ઠંડીને કારણે હૃદયરોગના હુમલાનું જોખમ રહેતું હોય છે. હાલમાં આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
Related Articles
ગુજરાત આવી રહેલા જહાજ પર હુમલા બાદ ઈરાનનો કબજો, હોર્મુઝમાં ટેન્શન વધ્યું
ગુજરાત આવી રહેલા જહાજ પર હુમલા બાદ ઈરાનન...
Apr 22, 2026
કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો અકસ્માત, પીકઅપ વાન પલટતા, 6ના મોત, 28 ઈજાગ્રસ્ત
કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો...
Apr 22, 2026
ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી
ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 4...
Apr 22, 2026
વન વિભાગની મહત્વકાંક્ષી યોજના: અરવલ્લીથી ડાંગ સુધી વાઘ-દીપડા કોરિડોર અને બન્નીમાં ચિત્તાનો વસવાટ કરાશે
વન વિભાગની મહત્વકાંક્ષી યોજના: અરવલ્લીથી...
Apr 21, 2026
દાહોદના અભલોડમાં પનીર અને કેરીનો રસ ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાતા ગામમાં જ મેડિકલ કેમ્પ શરૂ કરાયો
દાહોદના અભલોડમાં પનીર અને કેરીનો રસ ખાધા...
Apr 21, 2026
છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા
છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી...
Apr 19, 2026
Trending NEWS
21 April, 2026
21 April, 2026
21 April, 2026
21 April, 2026
21 April, 2026
21 April, 2026
20 April, 2026
20 April, 2026
20 April, 2026
20 April, 2026