દુબઈના પૂરમાં ગુજરાતીઓ ફસાયા:એરપોર્ટ પર મુસાફરો 10થી 15 કલાક ભૂખ્યા રહ્યા

April 17, 2024

અમદાવાદ  : દુબઈમાં વરસાદને કારણે છેલ્લા 3 દિવસથી રણમા પૂરની સ્થિતિ સર્જાતા લોકોની મુશ્કેલી વધી છે. દુબઈ એરપોર્ટ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. તેવામાં ફ્લાઇટ ઓપરેશન 12 કલાકથી વધુ સમય માટે બંધ રહેવાથી અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા છે. તેમના જ એક મિનલબેન પટેલે પિતા બિમાર હોવાથી અમદાવાદ આવી રહ્યા હતા પરંતુ છેલ્લા 15 કલાકથી શારજાહ એરપોર્ટ પર અટવાઈ ગયા છે. એવું પણ જણાવ્યું હતું કે, મુસાફરો 10થી 15 કલાકથી ભૂખ્યા બેસીને પોતાની ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે.