સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ: 'કંઈ શક્ય નથી' જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો
April 24, 2026
અમદાવાદ - સાબરમતી નદીના વધતા પ્રદૂષણ મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે જીપીસીબી (GPCB) અને સીપીસીબી (CPCB)ને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે, નદી શુદ્ધિકરણ મામલે તમારા સોગંદનામામાં જે 'નથિંગ ઈઝ પોસિબલ' (કંઈ પણ શક્ય નથી) જેવા વાક્યો લખ્યા છે તેને તાત્કાલિક હટાવી દો. કોર્ટે અવલોકન કર્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે 100 ટકા કામ કરી શકવાના નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે પ્રયાસો જ છોડી દેવાય.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે નદીના પ્રદૂષણને લઈને વર્તમાન સ્થિતિ બિલકુલ સારી નથી. જો ઔદ્યોગિક એકમો, જીપીસીબી, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી સીઈટીપી (CETP) આ તમામ સંસ્થાઓ એક જ લક્ષ્ય સાથે કામ કરશે, તો જ સ્થિતિમાં સુધારો આવવો શક્ય છે. સુનાવણી દરમિયાન જીપીસીબીએ સ્વીકાર્યું હતું કે શહેરના એક પણ સીઈટીપી હાલમાં નિયમોનું સંપૂર્ણ પાલન કરી રહ્યા નથી. આ બાબતે કોર્ટે આકરું વલણ અપનાવતા કહ્યું કે, જો જીપીસીબીની આ વાત ખોટી હોય તો તેને સોગંદનામા પર સાબિત કરવી પડશે. કોર્ટ કોઈ પણ પક્ષની મૌખિક દલીલોને ગ્રાહ્ય રાખશે નહીં. જીપીસીબીની રજૂઆત મુજબ સીઈટીપીની જવાબદારી કોર્ટે નક્કી કરી હોવા છતાં ખાનગી સીઈટીપી નિયમોનું પાલન કરતા નથી. પાલન અંગે 'સંપૂર્ણ પાલન', 'આંશિક પાલન' અને 'પાલન નહીં કરનાર' એમ ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે. હાલમાં 7 સીઈટીપી પૈકી 2 સીઈટીપી એવા છે જે આંશિક પાલન પણ કરી રહ્યા નથી.
Related Articles
ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ
ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફા...
Apr 24, 2026
ગુજરાત આવી રહેલા જહાજ પર હુમલા બાદ ઈરાનનો કબજો, હોર્મુઝમાં ટેન્શન વધ્યું
ગુજરાત આવી રહેલા જહાજ પર હુમલા બાદ ઈરાનન...
Apr 22, 2026
કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન
કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડ...
Apr 22, 2026
કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો અકસ્માત, પીકઅપ વાન પલટતા, 6ના મોત, 28 ઈજાગ્રસ્ત
કપરાડામાં પ્રસંગમાંથી પરત ફરતી વખતે મોટો...
Apr 22, 2026
ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 43 ડિગ્રી તાપમાન થવાની IMDની આગાહી
ગુજરાતમાં ચૂંટણી વખતે પડશે ભયાનક ગરમી! 4...
Apr 22, 2026
વન વિભાગની મહત્વકાંક્ષી યોજના: અરવલ્લીથી ડાંગ સુધી વાઘ-દીપડા કોરિડોર અને બન્નીમાં ચિત્તાનો વસવાટ કરાશે
વન વિભાગની મહત્વકાંક્ષી યોજના: અરવલ્લીથી...
Apr 21, 2026
Trending NEWS
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
22 April, 2026
21 April, 2026