Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

મસૂરી હરિદ્વાર અને નૈનીતાલના રસ્તે બે દિવસથી ભારે ટ્રાફિકજામની સ્થિતિ, એક વૃદ્ધનું મોત

June 09, 2025

ઉત્તરાખંડમાં ખાસ કરીને મસૂરી હરિદ્વાર અને નૈનીતાલના રસ્તે ભારે ટ્રાફિકજામની સ્થિતિ બે દિવસમાં સર્જાઇ હતી. ખાસ કરીને મસૂરીમાં પ્રવાસીઓ વધી જતાં આવી સ્થિતિ સર્જાઇ હતી. કેટલાય કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. રવિવારે ટ્રાફિકજામ વચ્ચે સારવાર ન મળતાં એક વૃદ્ધનું મોત થયું હતું.

મેદાની વિસ્તારોમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે લોકો પહાડી વિસ્તારોમાં ફરવા આવી રહ્યા છે. સપ્તાહના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડતાં ભારે ભીડ થઈ હતી. અમુક મિનિટોમાં પહોંચવાના બદલે અમુક કલાકો સુધી વાહનોમાં બેઠા રહ્યા બાદ માંડ વાહનો પસાર થતાં હતા.

મસૂરીમાં લાયબ્રેરી, દહેરાદૂન રોડ, પીકચર પેલેસ રોડ, અકાદમી માર્ગ, માલ રોડ, મોતીલાલ નેહરુ માર્ગ અને સ્થાનિક વિસ્તારોમાં ટ્રાફિક થયો હતો. સ્થાનિક રહીશોને પણ પરેશાની થઈ હતી. 62 વર્ષના કમલ કિશોર તેમના સંબંધીઓ સાથે મસૂરી ફરવા આવ્યા હતા. જામમાં ફસાયા બાદ તેમને સારવાર ન મળતાં મૃત્યુ થયું હતું. તેમની તબિયત અચાનક ખરાબ થયા બાદ ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જમા આવી રહ્યા હતા પણ ટ્રાફિકજામમાં ફસાઈ જતાં સારવાર મળી શકી ન હતી.