યાત્રાના બે દિવસમાં 20 હજારથી વધુ શ્રધ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા
July 05, 2025

અમરનાથ યાત્રા 2025 શરૂ થઈ ગઈ છે. 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા 9 ઓગસ્ટ, 2025 સુધી ચાલુ રહેશે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાના પહેલા બે દિવસ દરમિયાન 20,000 થી વધુ યાત્રાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે વાર્ષિક અમરનાથ યાત્રાને લઈને સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઉજવણી અને ઉત્સાહનો માહોલ છે.
મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલટાલ બેઝ કેમ્પ ખાતે યાત્રાળુ નિવાસ સંકુલનું ઉદ્ઘાટન કર્યા પછી સિંહાએ કહ્યું, "અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર 20 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યા છે." કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી ડિજિટલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, "દેશના વિવિધ ખૂણાઓથી બાબાના ભક્તો અહીં આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના લોકો ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ (SASB) એ યાત્રાળુઓ માટે સુવિધાઓમાં સુધારો કર્યો છે.'
Related Articles
જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની ચાર બસો અથડાઇ, 25ને ઇજાગ્રસ્ત
જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની...
Jul 05, 2025
ત્રિનિદાદમાં વડાપ્રધાન મોદીને 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક' એવોર્ડથી સન્માનિત કરાયા
ત્રિનિદાદમાં વડાપ્રધાન મોદીને 'ધ ઓર્ડર ઓ...
Jul 05, 2025
99 ભૂલો માફ કર્યા પછી, મારું ચક્ર શરૂ થશેઃ તેજપ્રતાપ યાદવ
99 ભૂલો માફ કર્યા પછી, મારું ચક્ર શરૂ થશ...
Jul 05, 2025
મણિપુરમાં મોટું ઓપરેશન: Ak-47, IED અને ગ્રેનેડ જેવા ઘાતક 203 હથિયાર જપ્ત
મણિપુરમાં મોટું ઓપરેશન: Ak-47, IED અને ગ...
Jul 05, 2025
પૂર મામલે ભાજપમાં અંદરોઅંદર ડખા, કંગના પર ગુસ્સે થયા પૂર્વ CM
પૂર મામલે ભાજપમાં અંદરોઅંદર ડખા, કંગના પ...
Jul 04, 2025
દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલણથી ભડક્યું ચીન, સાવચેતી રાખવા ચેતવણી
દલાઈ લામાના ઉત્તરાધિકારી મામલે ભારતના વલ...
Jul 04, 2025
Trending NEWS

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025

04 July, 2025