Breaking News :
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ 11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન અનામતનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા UPSC પરીક્ષાની પસંદગી યાદીમાં મોટા ફેરફારની તૈયારી

મારા પર ભાજપમાં સામેલ થવાનું દબાણ હતું: સંજય રાઉતના દાવાથી રાજકારણ ગરમાયું

November 08, 2024

દિલ્હી : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીન લઈને પાર્ટી અને વિરોધ પક્ષોના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે, તેમના પર ભાજપમાં જોડાવાનું દબાણ હતું. આ ઉપરાંત તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ માત્ર ભાગલા પાડવાના કામમાં જ વ્યસ્ત છે. શિવસેના (UBT) નેતા  સંજય રાઉતે કહ્યું, "મારા પર ભાજપમાં જોડાવાનું દબાણ હતું. અનિલ દેશમુખ અને અનિલ પરબ પર પણ દબાણ હતું. ભાજપના લોકો અમારા પર દબાણ કરી રહ્યા હતા. ભાજપના લોકો પોતે વિભાજિત થયા છે અને હવે તેઓ બીજાઓમાં ભાગલા પડાવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીજી અને યોગીજીનો પરિવાર એક નથી અને તેઓ 'બટને ઓર કટને' ની વાત કરી રહ્યા છે. યોગીજી તેમના પરિવાર સાથે રહેતા નથી અને ભાગલાની વાત કરી રહ્યા છે. યોગીજી, ચાર ભાઈઓ અલગ-અલગ રહે છે અને ભાગલાની વાત કરે છે." સાંસદ સંજય રાઉતે વધુમાં જણાવતાં કહ્યું કે, પ્રફુલ પટેલ અને પ્રતાપ સરનાઈક જે કહી રહ્યા છે, તેમનો કોઈ મતલબ નથી. આ લોકોએ EDથી બચવા માટે પાર્ટી છોડી દીધી હતી. જ્યારે મારા પર પણ દબાણ કરવામાં આવ્યું, ત્યારે મેં ઉપરાષ્ટ્રપતિને પત્ર લખ્યો. કેટલાય લોકો પર પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનું દબાણ હતું, જેથી કમજોર લોકો પાર્ટી છોડી દીધી હતી."