Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

જુનાગઢમાં સાધુ-સંતોનો વધ્યો વિવાદ, ગિરનાર મંડળના સાધુએ ધર્મને ધંધો બનાવ્યો : હરિદાસ

November 25, 2024

અંબાજી મંદિરના મહત્વનો વિવાદ દિવસે વધુ ગૂંચવાતો જાય છે.મહેશગીરીબાપુ અને હરગીરીબાપુના વિવાદ વચ્ચે હવે અન્ય સાધુઓ પણ મેદાનમાં આવ્યા છે.ગિરનાર વૈષ્ણવ વિરક્ત મંડળ અને સરકડીયા હનુમાન મંદિરના મહંત હરિદાસ બાપુ દ્વારા હરીગીરીબાપુ સામે વિરોધ થઈ રહ્યો છે.ભવનાથ ગિરનાર મંડળના સાધુઓ ધર્મને ધંધો બનાવી દીધો છે તેમજ અધિકારીને પદાધિકારીઓની ચમચાગીરી કરીને શું ફાયદો થતો હશે તેવા આક્ષેપો પણ કર્યા છે.

ગિરનાર મંડળના સાધુઓ અને ખાસ કરીને હરિ ગીરી બાપુ સામે તેઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હરિ ગીરી બાપુ છેલ્લા દસ બાર વર્ષથી વિવાદોમાં આવે છે તેઓ ભવનાથમાં ગમે તે જગ્યા ઉપર લખાણ કરાવી અને ગુંડાઓને મોકલીને ડરાવે ધમકાવે છે.સાધુઓને પૈસાની હાલત ન હોવી જોઈએ પરંતુ જો કોઈ સાધુ પૈસા આપીને મહંત બનતા હોય તેવી સાધુતા શું કામની? ઉપરાંત તેઓએ આ સમગ્ર મામલાને લઈને તટસ્થ તપાસ કરવા માટે પણ માંગણી કરી છે.

ભવનાથ મંદિરના મહંત તરીકે રમેશગીરી બાપુ હતા તેમના બાદ તનસુખ ગીરી બાપુને મહંત તરીકે બનાવવામાં આવ્યા હતા અને મહંત તરીકે તનસુખ ગીરીબાપુને હટાવીને હરિ ગીરી બાપુએ શેલજા દેવીને મહદ્ધ તરીકે બેસાડ્યા હતા જેને ભવનાથ સાથે કંઈ જ લેવાદેવા નથી એક દોઢ વર્ષ તેમને મદદ તરીકે રાખ્યા બાદ તેમને પણ હટાવીને જયશ્રીકાનંદને ભવનાથના મહંત તરીકે બેસાડી દીધા અને હવે હરી ગીરીબાપુ પોતે તેના મહંત તરીકે બેસી ગયા છે એના ભવનાથનો કબજો લેવા માંગે છે.