શુભાંશુ શુક્લાનુ સ્પેશ સ્ટેશન માટેનું લોન્ચિંગ ટળ્યું

June 04, 2025

ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપના કેપ્ટન શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) માટે લોન્ચિંગને 10 જૂને થવાનું હતુ તેને હાલ પુરતુ સ્થગીત કરી દેવામાં આવ્યુ છે. કેમકે પાયલ ગ્રુપની પૂર્વ ઉડાનની જે ક્વારંટીન પ્રક્રિયા છે તે હાલ પૂરી થઇ નથી. આ મિશન Axiom Spaceના Ax-4 પ્રોગામનો એક ભાગ છે. આ મિશનની શરૂઆત 29મેના થવાની હતી, જેને પછીથી 8 જૂન માટે બીજી વખત શિડ્યુલ કરવી પડી હતી.

જો કે ફરી એકવાર તૈયારી બરાબર પૂર્ણ થાય તે માટે લોન્ચ કરવાનો સમય હવે 10 જૂને રાખવામાં આવ્યો છે. કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનમાં પાયલટ તરીકે સેવા આપશે અને ISSનો પ્રવાસ ખેડનાર પ્રથમ ભારતીય બની જશે. તેઓ અંતરિક્ષ ક્ષેત્રે બીજી ભારતીય હશે, આ પહેલા ભારતીય રાકેશ શર્મા હતા જેમણે 1984માં ઐતિહાસિક મિશન કર્યુ હતુ. 

Ax-4 મિશનના કમાન્ડરના રૂપમાં પીગી વ્હિટસન સામેલ હતા, જે એક અનુભવી NASAના અંતરિક્ષ યાત્રી છે. સાથે સાથે પોલેન્ડના વિશેષજ્ઞ સ્લાવોજ ઉન્ઝાન્સ્કી, વિસ્ત્રીવસ્કી અને હંગરી ના ટિબોર કપુનો સમાવેશ થાય છે. જે પોત પોતાના દેશના ISS માટે પ્રથમ ઉડાન ભરશે. પાયલટ ગ્રુપ 25મેથી ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં બે અઠવાડિયાની પૂર્વ લોન્ચ ક્વોરન્ટાઇનમાં છે.