દિગ્ગજોને ન મળ્યું સ્થાન, ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ માટે પસંદ કર્યા ચાર સ્પિનર
January 13, 2023

મુંબઈ- ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામેની વનડે સીરિઝ પોતાના નામે કરી ચુક્યું છે. ભારતીય ટીમ આ સીરિઝને વન ડે વર્લ્ડ કપની તૈયારી સમાન માની રહ્યું છે. ત્યારે ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ વર્ષ થનારા વર્લ્ડ કપ માટે ચાર સ્પિનરોને પસંદ કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ગંભીરે પોતાની લિસ્ટમાં યુઝવેન્દ્ર ચહલ, આર.અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને જગ્યા આપી નથી.
ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલા બીજા વનડેમાં કમેન્ટ્ર દરમિયાન જ્યારે ગંભીરને પૂછવામાં આવ્યું કે તમે વર્લ્ડ કપમાં ક્યા ચાર સ્પિનરને જોવાનું પસંદ કરશો? તો ગંભીરે જવાબ દેતા કહ્યું કે, હું અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈની સાથે જવા માંગીશ. ચહલ અત્યારે લયમાં નથી. એવી કોઈ કારણ નથી કે જેથી અક્ષર કે કુલદીપ યાદવને ટીમમાંથી બહાર કાઢવામાં આવશે.
ગૌતમ ગંભીર વર્લ્ડ કપમાં ફાસ્ટ બૉલરના રૂપમાં બુમરાહને જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વિશ્વ કપ જીતવા માટે બુમરાહનું રમવું જરૂરી છે. જો તે રમશે તો સરળ રહેશે. જણાવી દઈએ કે પહેલા બુમરાહનું સિલેક્શન શ્રીલંકા સામે રમવા માટે કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેનું નામ પાછું લઈ લેવામાં આવ્યું હતુ.
Related Articles
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્યું, અમદાવાદમાં ટેસ્ટ મેચ જોવા આવી શકે
PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આમંત્રણ આપ્ય...
Feb 02, 2023
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિરાટ કોહલી - અનુષ્કા શર્મા ઋષિકેશ પહોંચ્યા
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા વિર...
Jan 31, 2023
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હરાવી જીત્યો અન્ડર-19 વિશ્વકપ
ભારતીય મહિલા ટીમનો ધમાકો, ઈંગ્લેન્ડને હર...
Jan 29, 2023
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ દેખાયું:પોર્ટુગલની લીગમાં સામે આવ્યું, જાણો શા માટે ઉપયોગ કરવામાં આવ્યું
ફૂટબોલના ઈતિહાસમાં પહેલીવાર વ્હાઇટ કાર્ડ...
Jan 26, 2023
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર, મહિલાઓમાં મેક્ગ્રા
ICC Awards 2022: સૂર્યકુમાર યાદવ ટી-20નો...
Jan 25, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023