સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી રહ્યું, પરદા પાછળ મોટી રમત
January 31, 2026
વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી NCPના બંને જૂથો વચ્ચે વિલયની ચર્ચાઓ અંતિમ તબક્કામાં હતી. ખુદ NCP(શરદ પવાર જૂઠ)ના અધ્યક્ષ જયંત પાટીલે દાવો કર્યો હતો કે બંને પક્ષો વચ્ચેની વાતચીત નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. શરદ પવારે પણ સ્વીકાર્યું હતું કે, અજિત પવાર અને જયંત પાટીલ વચ્ચે ઘણી બેઠકો થઈ હતી અને અજિત પવાર 12 ફેબ્રુઆરીએ NCPના વિલયની જાહેરાત કરવાના હતા.
મહાયુતિનો શું છે પ્લાન?
જોકે, અજિત પવારના પ્લેન ક્રેશમાં આકસ્મિક નિધન બાદ જેવો એ સંકેત મળ્યો કે, બંને NCPના એક થવાની સ્થિતિમાં પાર્ટીનો સંપૂર્ણ કંટ્રોલ ફરીથી શરદ પવારની પાસે જઈ શકે છે, ત્યારે જ મહાયુતિએ પોતાનો રાજકીય દાવ ખેલ્યો. આ દાવ હેઠળ જ સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો.
મહાયુતિની અંદર એ સ્પષ્ટ વિચાર છે કે જો અજિત પવાર જૂથ નબળું પડે અથવા તેમની પાર્ટીનો વિલય થાય તો NCP પર શરદ પવારની પકડ ફરીથી મજબૂત થઈ શકે છે. આ જ કારણ છે કે સુનેત્રા પવારને સત્તાના કેન્દ્રમાં લાવીને NCPમાં સંતુલન જાળવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે NCPના વરિષ્ઠ નેતાઓ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે પણ કોઈપણ કિંમતે પાર્ટીને શરદ પવારના નેતૃત્વમાં પાછી ફરતી જોવા નથી માગતા. આ જ કારણ છે કે સુનેત્રા પવારને વિધાનસભા પક્ષના નેતા અને પછી ડેપ્યુટી સીએમ બનાવવાનો રસ્તો સ્પષ્ટ કરવામાં આવ્યો.
શનિવારે NCPના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સુનેત્રા પવારને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા છે. ત્યારબાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી તરીકે તેમની નિમણૂકની ભલામણ કરતો ઔપચારિક પત્ર મોકલવામાં આવશે.
NCPના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે પહેાથી જ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને આ સમગ્ર ઘટનાક્રમની રૂપરેખા નક્કી કરી ચૂક્યા છે. પાર્ટીના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ નિર્ણય પૂર્વ-આયોજિત વ્યૂહરચનાનો હિસ્સો છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એવા અહેવાલ છે કે શરદ પવાર અને સુપ્રિયા સુલે આજે સુનેત્રા પવારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થશે. સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવા પર શરદ પવારની હેરાની સ્પષ્ટ દેખાઈ. તેમણે જણાવ્યું કે, અજિત પવારના અસ્થિ વિસર્જન સુધી સુનેત્રા પવાર તેમની સાથે હતા અને ડેપ્યુટી સીએમ પદ અંગે કોઈ ચર્ચા નહોતી થઈ.
Related Articles
યુદ્ધની આગમાં ભારતીય રોકાણકારોના રૂ. 33.68 લાખ કરોડ સ્વાહા
યુદ્ધની આગમાં ભારતીય રોકાણકારોના રૂ. 33....
Mar 14, 2026
ઈરાન જતા રહો...' કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું - 'આ દેશ કોઈના બાપનો નથી...'
ઈરાન જતા રહો...' કહેનારા સંભલના CO પર ભડ...
Mar 14, 2026
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત
કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હ...
Mar 14, 2026
PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત
PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP...
Mar 14, 2026
યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો
યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્...
Mar 13, 2026
અમેરિકામાં ગુજરાતી ડેન્ટિસ્ટ બંધુઓએ આચર્યું 32 મિલિયન ડૉલરનું કૌભાંડ, FBI એ પર્દાફાશ કર્યો
અમેરિકામાં ગુજરાતી ડેન્ટિસ્ટ બંધુઓએ આચર્...
Mar 12, 2026
Trending NEWS
13 March, 2026
13 March, 2026
12 March, 2026
12 March, 2026
12 March, 2026
12 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026
11 March, 2026