તાલાલામાં બહુમતીની બબાલ: પક્ષપલટો રોકવા વિજેતા ઉમેદવારોને લેવડાવ્યા ઇષ્ટદેવના સોગંદ
May 01, 2026
આપના વિજેતા ઉમેદવારોએ ઇષ્ટદેવના સોગંદ ખાધા
તાલાલા : ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા પંચાયતમાં સત્તાનું સમીકરણ જટિલ બન્યું છે. કોઈ પણ પક્ષ સ્પષ્ટ બહુમતી મેળવી શક્યો નથી, ત્યારે પોતાના સભ્યોને તૂટતા બચાવવા માટે આમ આદમી પાર્ટીએ એક અનોખો અને વ્યૂહાત્મક માર્ગ અપનાવ્યો છે.
તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપની 9 બેઠકો, આમ આદમી પાર્ટી (AAP)ની 07 બેઠકો અને કોંગ્રેસની 02 બેઠકો છે. ત્યારે કોઈ પણ પક્ષ પાસે બહુમતીનો આંકડો ન હોવાથી પક્ષપલટો થવાની પૂરેપૂરી શક્યતાઓને જોતા 'આપ' સક્રિય થઈ છે. આમ આદમી પાર્ટીએ પોતાના સાતેય વિજેતા ઉમેદવારો પાસે પક્ષપલટો ન કરવા માટે તેમના ઇષ્ટદેવના સોગંદ લેવડાવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાના વીડિયો પણ બનાવવામાં આવ્યા છે. ઉમેદવારે પોતાના ઇષ્ટદેવના સોગંદ ખાધા હોવાથી જો તેઓ પક્ષપલટો કરે તો મતદારો અને સમાજમાં તેમની છબી ખરડાઈ શકે છે અને રાજકીય કારકિર્દી ખતમ થવાનો ડર રહે છે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરીને પાર્ટી લોકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી છે. જો કોઈ ઉમેદવાર પક્ષપલટો કરશે, તો પાર્ટી કોર્ટનો સહારો લઈને તેમનું સભ્યપદ રદ કરાવવા સુધીની કાર્યવાહી કરશે.
તાજેતરમાં બોરસદ નગરપાલિકામાં ભાજપ દ્વારા સત્તા મેળવવા માટે AIMIMના ઉમેદવારનું સમર્થન લેવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. તાલાલામાં આવી કોઈ ગોઠવણ ન થાય અને પક્ષના સભ્યો વફાદાર રહે તે હેતુથી આમ આદમી પાર્ટીએ આ 'સોગંદ' કાર્ડ ખેલ્યું છે. હાલ તો તાલાલામાં આ 'સોગંદનામા' ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ પવિત્ર સોગંદ રાજકીય પ્રલોભનો સામે કેટલા ટકી શકે છે.
Related Articles
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026