Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આમને જ સીએમ બનાવી દો, પૂર પીડિતોને મળવા પહોંચેલા અજિત પવાર ખેડૂતો પર ભડક્યાં

September 26, 2025

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અવાર-નવાર વિવાદોમાં રહે છે. ત્યારે ફરી એકવાર તે વિવાદોમાં ઘેરાયા છે. તાજેતરમાં જ તે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતો સાથે નુકસાન વિશે વાત કરી. ખેડૂતો સાથે વાત કરતી વખતે અજિત પવારે કંઈક એવું કહ્યું જેનાથી હવે વિપક્ષ મુદ્દો બની ગયો છે.


મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ખેડૂતોને મળવા માટે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર મરાઠવાડા ગયા હતા. આ દરમિયાન ખેડૂતે તેમને લોન માફી અંગે સવાલ પૂછ્યો, જેનાથી અજિત પવાર ગુસ્સે થઈને કહ્યું કે, 'આમને જ મુખ્યમંત્રી બનાવી દો! શું તમને લાગે છે કે અમે અહીં રમત રમવા આવ્યા છીએ?' આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનો આ વીડિયો સામે આવ્યા પછી, વિપક્ષે તેમની આકરી ટીકા કરી રહ્યા છે. જોકે, તેમણે આ આરોપને ગેરસમજ ગણાવીને ફગાવી દીધો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સંજય રાઉતે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર પણ નિશાન સાધ્યું છે. તેમમે કહ્યું કે, 'આ અજિત પવારની શૈલી નથી, પરંતુ ઘમંડ છે.'

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 20મી સપ્ટેમ્બરના રોજ મરાઠવાડામાં ભારે વરસાદ અને સહાયક નદીઓના કારણે વ્યાપક નુકસાન થયું હતું. મહારાષ્ટ્રમાં આવેલા પૂરમાં ઓછામાં ઓછા નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત મરાઠવાડામાં છત્રપતિ સંભાજીનગર, જાલના, લાતુર, પરભણી, નાંદેડ, હિંગોલી, બીડ અને ધારાશિવ જિલ્લાઓ હાલમાં પૂરથી પ્રભાવિત છે.