નવરાત્રિમાં 12 વાગ્યા સુધી જ માઇકની પરવાનગી, પોલીસની ગાઈડલાઈનથી ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું!
October 02, 2024

સસ્તી પ્રસિદ્ધિ માટે ટેવાયેલાં ગુજરાતના ગૃહમંત્રીએ પાંચ વાગ્યા સુધી ગરબે ધૂમજો એવી શેખી હાંકી હતી. અમદાવાદ શહેર પોલીસે સત્તાવાર માર્ગદર્શિકા અને જાહેરનામું બહાર પાડ્યું છે તેમાં ગૃહમંત્રીની રાજકીય શેખીનું સૂરસૂરિયું થઈ ગયું છે તો આયોજકો અને પૈસા ખર્ચી ગરબે રમનારાં દ્વિધામાં પડ્યાં છે. અમદાવાદ શહેર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક વગાડવાની મંજૂરી અપાઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લાના 150 વ્યાવસાયિક આયોજનો અને અગણિત શેરી ગરબામાં રમનારાં માઈભક્તો ગરબે રમવા સજ્જ છે.
અમદાવાદ શહેરમાં વ્યાયવસાયિક ગરબાના આયોજનોની 80 અરજીઓ આવી છે. સાથે જ જે આયોજકો પાસ વેંચીને એન્ટ્રી આપે છે તેમણે પોલીસ કમિશનર કચેરીમાં જ મંજૂરી લેવાની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબાના સ્થળે સુરક્ષા, સીસીટીવી અને અગ્નિશમન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની રહેશે તેમ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.
નવરાત્રિ મહોત્સવમાં આયોજકો અને વ્યવસ્થાપકો માટે જાહેર કરાયેલી સૂચના મુજબ, તમામ આયોજકોએ ગરબીની સ્થાપના આયોજનો અડચણ કે અવરોધ ન થાય તે રીતે કરવા ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. વ્યાવસાયિક આયોજનોમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટોની સંખ્યા વઘુમાં વઘુ કરવાની રહેશે. દરેક દરવાજા ઉપર સિક્યોરિટીના માણસો રાખવા ઉપરાંત અલગથી ઈમરજન્સી ગેટની વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે.
Related Articles
ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મોત, હજુ 2ની શોધખોળ
ગાંધીનગરના નભોઈ ગામ નજીક નર્મદા કેનાલમાં...
Jul 01, 2025
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડેટ, તપાસનો પહેલો રિપોર્ટ 11 જુલાઈ સુધીમાં થશે રજૂ!
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે મહત્ત્વની અપડે...
Jul 01, 2025
ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડતાં 9 કર્મચારી દબાયા, એકનું મોત
ઉમરગામમાં મોટી દુર્ઘટના, લોખંડનો શેડ પડત...
Jul 01, 2025
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક્સટેન્શન, રાજ્ય સરકારે છેલ્લી ઘડીએ લીધો નિર્ણય
DGP વિકાસ સહાયને મળ્યું ત્રણ મહિનાનું એક...
Jun 30, 2025
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગોટાળા! જાણો સરકારે જાહેર કરેલી વિગતો
RTE હેઠળની બેઠક અને એડમિશનના આંકડામાં ગો...
Jun 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર, ઈન્ડિયન નેવી મદદે પહોંચી
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ, ભારતી...
Jun 30, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025