Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોદીએ સુશીલા કાર્કીને પાઠવી શુભકામના

September 13, 2025

નેપાળમાં હિંસા બાદ વચગાળાની સરકાર બની છે. સુશીલા કાર્કીને દેશની કમાન સોંપવામાં આવી છે. સુશીલા કાર્કી વચગાળાના પીએમ બનતા ભારતે તેમને શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે બંને દેશો વચ્ચે શાંતિ અને સ્થિરતા બનાઇ રહે તેવી આશા. ભારતે કહ્યું કે તેઓ બંને દેશોની જનતાની ભલાઇ માટે એક સાથે મળીને કામ કરતા રહેશે.

મહત્વનું છે કે નેપાળમાં યુવાઓ દ્વારા સોશિયલ મીડિયા બંધ કરવાને લઇને વિરોધ કરાયો ગતો. જે બાદ નેપાળના પૂર્વ પીએમ કેપી ઓલી શર્માએ તાત્કાલિક રાજીનામુ આપવુ પડ્યું હતું. જે બાદ નેપાળની જનતાએ વચગાળાની સરકાર તરીકે સુશીલા કાર્કીની પસંદગી કરી.

ભારત દ્વારા સુશીલા કાર્કીના નેતૃત્વમાં રચાયેલી નેપાળની વચગાળાની સરકારનું સ્વાગત કરે છે. ભારતે કહ્યું, 'અમે સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આ શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે.' વધુમાં કહેવામાં આવ્યું હતું કે નેપાળ ભારતનો સૌથી નજીકનો પાડોશી છે અને લાંબા સમયથી ભારતનો વિકાસ ભાગીદાર રહ્યો છે. બંને દેશો લોકોના કલ્યાણ અને પ્રગતિ માટે નેપાળ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.